સાજિદ ખાન મહિલાઓ સાથે અશ્લીલ મજાક કરે છે : દિયા મિર્જા

978

બોલિવુડમાં હાલમાં ચાલી રહેલા મી ટુ અભિયાનને લઇને એક નવી ચર્ચા છેડાઇ ગઇ છે. હવે આ મામલે ખુબસુરત દિયા મિર્જા પણ સામેલ થઇ ગઇ છે. દિયા મિર્જાએ પોતાના અભિપ્રાય રજૂ કરતા કહ્યુ છે તકે સલોની ચોપડા અને અન્ય લોકોની વાત સાંભળીને તે ખુબ દુખી થઇ છે. જો કે દિયાએ કબુલાત કરી છે ે સાજિદ ખાન મહિલાઓ સાથે અશ્લીલ મજાક કરે છે અને મહિલાઓ પ્રત્યે તેનુ વર્તન સારુ રહ્યુ નથી. તેનુ કહેવુ છે કે જે જાતિય સતામણીના આરોપો સપાટી પર આવી રહ્યા છે તે સાંભળીને તે ચોંકી ઉઠી છે. દિયાએ સાજિદ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેનુ કહેવુ છે કે સાજિદ ખુબ ખરાબ અને મહિલાઓ પ્રત્યે અશ્લીલ હરકત કરતો રહે છે. તેનુ કહેવુ છે કે તે પોતે પણ આ પ્રકારના લોકો પણ ચાપતી નજર રાખે છે. આવા લોકો સાથે તેના ક્યારેય સંબંધ રહ્યા નથી. તેનુ કહેવુ છે કે આ બાબતનો અંદાજ ન હતો કે દિયા મિર્જા આ પ્રકારનુ વર્તન પણ કરી શકે છે. દિયાએ કહ્યુ છે કે તે અનુભવ કરી શકે છે કે આવી બાબત સાંભળીને તેમને કેટલો આઘાત લાગ્યો હશે. સાજિદ ખાન પર આરોપો થયા બાદ ફરહાન અખ્તર દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે.

ફરહાને સોશિયલ મિડિયા પર લખ્યુ છે કે આ પ્રકારની ઘટનાઓ અંગે અંગે તેની પાસે માહિત ન હત. આરોપીઓની સાથે પોતાના સંબંધના કારણે મોટા ભાગના લોક હજુ પણ આગળ આવી રહ્યા નથી. જો કે મી ટુ અભિયાનના કારણે આગામી દિવસોમાં વધુ કેટલીક હસ્તીઓના નામ સપાટ પર આવે તેવા સંકેત છે. સાજિદને હોબાળો થયા બાદ હાઉસફુલ-૪ ફિલ્મ છોડી દેવાની ફરજ પડી છે. બીજી બાજુ નાના પાટેકર પણ હાઉસફુલ ફિલ્મને છોડી દેવાની જાહેરાત કરી ચુક્યો છે.

Previous articleહવે આલિયા રણબીર કપુરને મળવા માટે ન્યુયોર્કમાં પહોંચી
Next articleમેં જોયેલ ઘટના પરથી ફિલ્મ બનાવી છેઃસ્નેહ તુલી