જિલ્લા જેલમાં હત્યાના આરોપીએ આપઘાત કર્યો

1221

ભાવનગર જિલ્લા જેલમાં ગત મોડીરાત્રે હત્યાના ગુનાનો બિહારી આરોપીએ જેલની બેરકમાં ગળાફાંસો ખાઈ આપઘાત વ્હોરી લેતા જિલ્લા જેલમાં સન્નાટો છવાઈ જવા પામ્યો છે. બનાવ સંદર્ભે પોલીસે જીણવટભરી તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત મુજબ, બિહારના મહારાજગંજનો વતની નંદકુમાર દુખહરણ ચૌહાણ ઉ.વ.૩પ ગત તા.૧૪-ર-૧૮થી વરતેજ ખાતે થયેલ હત્યાના ગુનામાં જિલ્લા જેલમાં બેરક નં.૬માં આરોપી તરીકે હતો. નંદકુમાર ચૌહાણે ગત મોડીરાત્રે લુંગી વડે ગળાફાંસો ખાઈ આપઘાત વ્હોરી લીધો હતો. બનાવ અંગેની જાણ સ્થાનિક પોલીસને કરાતા પોલીસે જરૂરી કેસ કાગળો કરી લાશને પી.એમ. અર્થે ખસેડાઈ હતી. બનાવ સંદર્ભે જિલ્લા જેલમાં સન્નાટો છવાઈ ગયો હતો અને શંકા-કુશંકાના આધારે પોલીસે જીણવટભરી તપાસ હાથ ધરી છે.

Previous articleઈસ્કોન મેગા સિટીમાં ક્રોમાં શોપનો પ્રારંભ
Next articleપાલિતાણાના રંગપરા ગામે વૃધ્ધ દંપતીની લૂંટના ઈરાદે કરપીણ હત્યા