રંગના હેરાથે કરી સંન્યાસની જાહેરાત

1060

શ્રીલંકા ક્રિકેટ ટીમના સૌથી અનુભવી ખેલાડીઓમાંથી એક રંગના હેરાથે ક્રિકેટ જગતમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય કરી લીધો છે. હેરાથ આ વર્ષએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ બાદ નિવૃતી લેશે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ નવેમ્બરમાં રમાનારી ટેસ્ટ શ્રેણીનો પ્રથમ મેચ 6 નવેમ્બરથી ગોલમાં રમાશે. હેરાથ 1999માં ટેસ્ટ કેરિયરની શરૂઆત કરનાર એકમાત્ર સક્રિય ક્રિકેટર છે.

હેરાથે ગોલ મેદાન પર ટેસ્ટ ક્રિકેટમાં પર્દાપણ કર્યું હતું અને આ મેદાન પર તે વિદાય લેશે. આ સાથે હેરાથને આ મેદાન પર 100 વિકેટ લેનાર મુરલીધરનના રેકોર્ડની બરોબરી કરવા માટે એક વિકેટની જરૂર છે, જેને તે પોતાના અંતિમ ટેસ્ટમાં પૂરી કરી લેશે. આ મેદાન પર વર્ષ 2009માં હેરાથે પાકિસ્તાન વિરુદ્ધ 10 વિકેટ ઝડપી હતી. આ મેચ માટે હેરાથને અચાનક બોલાવવામાં આવ્યો હતો. તે સમયે હેરાથ ઈંગ્લેન્ડમાં લીગ ક્રિકેટ રમી રહ્યો હતો.

તેણે પસંદગીકારોને કહ્યું કે, તે ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણી માટે ઉપલબ્ધ રહી શકશે નહીં. તેણે વર્ષ 2017થી કોઈપણ ત્રણ ટેસ્ટ મેચની પૂરી શ્રેણી રમી નથી. તેનું મુખ્ય કારણ તેની ઈજા રહી છે. તે ઘણા વર્ષોથી ઘુંટણની ઈજાથી પરેશાન રહ્યો છે.

Previous articleભારતનો 8 વિકેટે વિજય
Next articleભારતે એશિયા હોકી ચેમ્પિયન્સ ટ્રોફીમાં જાપાનને 9-0થી હરાવીને લગાવી જીતની હેટ્રિક