ઓનલાઈન ખરીદી ટાળો, નાના વેપારીને બચાવો

660

મોટાભાગની ચીજવસ્તુઓનું ઓનલાઈન વેચાણ થઈ રહ્યું છે અને લોકો મોટા પ્રમાણમાં ખરીદી કરી રહ્યાં છે અને તેમાં કેટલાક લોકો છેતરાઈ પણ રહ્યાં છે અને જરૂરીયાત કરતા વધારે ખરીદી કરી રહ્યાં છે. પરિણામે નાના વેપારીઓ મુશ્કેલીમાં મુકાઈ રહ્યાં છે ત્યારે ભાવનગરના વેપારીઓ દ્વારા આજે શહેરના નિલમબાગ સર્કલ ખાતે મહારાજાની પ્રતિમાને પુષ્પાંજલી કરીને લોકોને ઓનલાઈન ખરીદીથી નાના વેપારીના ધંધા ચોપટ થવા જઈ રહ્યાં છે. પરિણામે તેને ત્યાં કામ કરતા માણસો પણ રોજગાર વિનાના બની રહ્યાં છે ત્યારે દિવાળીના તહેવારોની ખરીદી ઓનલાઈનના બદલે સ્થાનિક વેપારી પાસેથી કરીને તેમના ઘરમાં પણ દિવાળીના દિવા પ્રગટે તેવી લાગણી દર્શાવવા લોકોને અપીલ કરવામાં આવેલ.

Previous articleરાજુલામાં ૭ર ગામના તલાટીઓની ઉપવાસી છાવણીની મુલાકાતે પહોંચતા રાજકીય આગેવાનો
Next articleતળાજાની આરાધ્યા વિદ્યાસંકુલની વિદ્યાર્થીની જિલ્લાકક્ષાની નિબંધ સપર્ધામાં પ્રથમ નંબરે