માલ્યાની કંપનીના શેર હરાજીમાં મૂકાયા, આઈટીએ કહ્યું ખરીદતા નહીં, મરશો

767

બેંક કૌભાંડમાં ભાગેડું વિજય માલ્યાની કંપનીનાં શેર ડેબ્ટ ટ્રીબ્યુનલ દ્વારા હરાજીમાં મુકાવામાં આવ્યા છે પણ આ હરાજીની સામે ઇન્કમટેક્ષ વિભાગે લોકોને ચેતવણી આપી છે કે, વિજય માલ્યા કર ચોરીની મામલામાં તેમની તપાસ હેઠળ હોઇ તેની કંપનીના શેર ખરીદતા પહેલા વિચારજો અને લોકોને આ શેર ન ખરીદવા માટે અપીલ કરી છે.

ડેબ્ટ રિકવરી ટ્રિબ્યુનલે વિજય માલ્યાની કંપનીના (સ્ટડ ફાર્મ) શેર ઓક્ટોબર ૩૦નાં રોજ હરાજી માટે મુક્યા છે. આ ટ્રિબ્યુનલે ૪૧,૫૨,૨૭૨ શેર હરાજી માટે મુક્યા છે. વિજય માલ્યાએ જે ૧૭ બેંકો પાસેથી લોન લીધી હતી અને ભરપાઇ નથી કરી તે બેંકોએ આ પૈસાની પાછા મેળવવા માટે આ શેરોની હરાજી પર મૂક્યા છે.

જો કે, ઇન્કમટેક્ષ વિભાગે ચેતવણી આપતા કહ્યું કે, જે કોઇ વિજય માલ્યાની કંપનીના આ શેર ખરીદશે તે નકામા થઇ જશે. કેમ કે, માલ્યાની તપાસ હજુ ઇન્કમટેક્ષ કરી રહી છે.

આ દરમિયાન સર્વિસ ટેક્ષ વિભાગે પણ માલ્યાની કિંગફિશર એરલાઇન પાસેથી રૂ૮૭.૫ કરોડ વસુલવા માટે નોટિસ આપી છે. એરલાઇને પેસેન્સજરો પાસેથી ભેગા કરેલા પણ સર્વિસ ટેક્ષ વિભાગમાં જમા નહોતા કરાવ્યા. માલ્યાને ઘોડાઓને ખુશ શોખ હતો અને તેણે ૧૯૯૨માં બેંગલુરુ પાસે આવેલા કુંનિગલ સ્ટડ ફાર્મ ખરીદ્યુ હતું. હાલ, વિજય માલ્યા ઇગ્લેંડમાં છે. ભારત માલ્યાને પરત લાવવા માટે કોશિષ કરી રહ્યું છે.

Previous articleરાષ્ટ્રપતિ,વડાપ્રધાન,મંત્રીઓ હાથમાં વેદ લઈ પોતાના પદની શપથ લે : સત્યપાલસિંહ
Next articleસુપ્રિમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયને યથાવત્‌ રાખ્યો, બીટીસી કોર્સમાં એડમિશન કાયદેસર નથી