શિશુવિહાર સ્કુલ સામેના બંધ મકાનમાં લાખોની ચોરી

744

શહેરના શિશુવિહાર સ્કુલ સામેના બંધ મકાનમાં તસ્કરો ત્રાટકી દીકરીના લગ્ન માટે રહેલ કરિયાવરનો સમાન અને ઘરેણાઓ મળી લાખો રૂપિયાની મત્તા ઉઠાવી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે.

બનાવ મળતી વિગતો મુજબ શહેરના શિશુવિહાર સ્કુલની સામે પ્લોટ નં. પ૦ર-બી -૧માં રહેતા સલમાનભાઈ અબ્દુલ મુનાફ મલેકની દિકરીના લગન આગામી ૧૮-૧૧ના રોજ પોયોજવાના છે જેમનો કરિયાવરનો સમાન બીજા મકાનમાં રખાયો હતો જેમાં કોઈ અજાણ્યા તસ્કરો ત્રાટકી તાળા નકુચા તોડી અંદર પ્રવેશ કરી સોનાના અલગ-અલગ ઘરેણા કિ.રૂા. ૪,૬પ૬૬૭, ડાયમંડ અને ઈમીટેશનના ઘરેણા ૬૩ હજાર તથા અન્ય સમાન મળી કુલ રૂા. ૭,પ૦,૬૭૭ની મત્તાની ચોરી કરી નાસી છુટયા હતાં. બનાવ અંગે સલમાનભાઈએ ઘોઘા રોડ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ પીઆઈ ઈશરાનીએ હાથ ધરી છે.

Previous articleયોગ પીઠ સાથે વ્યાસપીઠ સેવામાં તત્પર રહેશે : પૂ. બાપુ
Next articleસ્ટેચ્યુ ઓફ યુનિટીની એકતા યાત્રાનું નાગેશ્રીમાં સ્વાગત કરાયું