સ્ટેચ્યુ ઓફ યુનિટીની એકતા યાત્રાનું નાગેશ્રીમાં સ્વાગત કરાયું

927

સ્ટેચ્યુ ઓફ યુનિટી ભાજપ સરકાર દ્વારા પ્રેરીત એકતારથનું જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ખાતે ભાજપ કાર્યકર્તા કનુભાઈ વરૂ દ્વારા બપોરના મહાપ્રસાદ દ્વારા ભવ્ય સન્માન સાથે જાફરાબાદ તાલુકામાંથી અંતીમ દિવસે બહોળી સંખ્યામાં માનવ મહેરામણ સ્વાગત સન્માન માટે સ્વચ્છાએ ભાજપ તરફી લોક જુવાળ જોવા મળી રહ્યો છે. જેના જીલ્લા ઈન્ચાર્જ રવુભાઈ ખુમાણ અને હીરાભાઈ સોલંકી દ્વારા જણાવાયું કે સુબહ કા ભુલા શામ કો લોટ આયે ઈનકો ભુલા નહી કહે તે તેવા ગંભીર વાણીથી સંબોધન કરી નાગેશ્રીના બુર્ઝુગ વડીલ કીસાન મોરચાના સોઢાભાઈ વરૂ, બચુભાઈ, ભરતભાઈ વરૂ, પ્રવિણભાઈ, ભાવેશભાઈ, વનરાજભાઈ ભીખુભાઈ વરૂ, હરેશભાઈ, સામતભાઈ સહિત નાગેશ્રી તેમજ મીઠાપુર સરપંચ શાન્તુભાઈ વરૂ, નજુભાઈ વરૂ, હરેશભાઈ ભાલીયા, જીલ્લા પંચાયતના પુનાભાઈ ભીલ સહિત આગેવાનો તેમજ મામાલતદાર ચૌહાણ, ઈન્ચાર્જ ટીડીઓ કે.પી.વાઢેરભાઈ, શિક્ષણાધિકારી એચ.ડી.વાઢેર સહિત હાજર રહી દબદબાભેર સરદારની પ્રતિમાને હારતોરા કરી જાફરાબાદ તાલુકામાં જવા વિદાય અપાઈ હતી.

Previous articleશિશુવિહાર સ્કુલ સામેના બંધ મકાનમાં લાખોની ચોરી
Next articleસાવરકુંડલા ખાતે બારોટ સમાજની બેઠક યોજાઈ