હજીરાથી દીવ વચ્ચે આજથી શરૂ કરાશે ક્રુઝ ફેસીલીટી

441

સુરતના હજીરા પોર્ટ (એસ્સાર પોર્ટ) થી દીવ વચ્ચે ‘ કુઝ ’ સેવાની શરૂઆત કેન્દ્રીય પોર્ટસ, શીપીંગ અને વોટરવેઝ મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે તા.૩૧.૩.૨૦૧૧ ના રોજ સાંજે ૪ઃ૩૦ કલાકે હજીરા ખાતેથી વર્ચ્યુઅલી કરવામાં આવશે. દર સોમવારે તથા બુધવારે સાંજે હજીરાથી ઉપડીને ક્રુઝ બીજા દિવસે સવારે દીવ આવશે તથા તે જ દિવસે સાંજે દીવ થી ઉપડીને તેના પછીના દિવસે સવારે હજીરા પરત ફરશે. એક બાજુની મુસાફરી માટે અંદાજે ૧૩ થી ૧૪ કલાકનો સમય લાગશે. ૩૦૦ પેસેન્જરની કેપેસીટી ધરાવતા આ ક્રુઝમાં ૧૬ જેટલી કેબીન પણ આવેલી છે. આ ક્રુઝ અઠવાડીયામાં દીવની બે રાઉન્ડ ટ્રીપ કરશે, તથા શુક્રવાર, શનિવાર અને રવિવારના દિવસે સુરત હાઇ – સીમાં મુસાફરી કરાવશે.
આ ક્રુઝ ગેમીંગ લાઉન્જ, વી.આઈ.પી. લાઉન્જ, એન્ટરટેઈનમેન્ટ ઓન ડેક વિગેરે આધુનિક સુવિધાઓથી સજ્જ છે.
ચાર માસ પૂર્વે પ્રધાનમંત્રનાં હસ્તે હજીરા – ધોળા રો – પેક્સ સેવાની શરૂઆત ભારત સરકાર દ્વારા કરવામાં આવેલી છે. માત્ર ૪ માસમાં ૧ લાખથી વધુ પેસેન્જર્સ તથા હજારો વાહનો દ્વારા આ સેવાનો લાભ લીધેલ છે. આ સેવાની ભવ્ય સફળતા બાદ હજીરાથી દીવા માટેનાં કુઝ સેવાની શરૂઆત કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાનાં હસ્તે તા.૩૧.૩.૨૦૨૧ નાં રોજ વર્ચ્યુઅલી કરવામાં આવી રહેલ છે.

Previous articleશહેરમાં આનંદ ઉલ્લાસભેર ધૂળેટી પર્વની ઉજવણી કરાઈ, અબીલ-ગુલાલ અને કેસુડાના રંગે લોકો રંગાયા
Next articleસરકારી નર્સીંગ હોસ્ટેલની સુવિધાની માંગણી સાથે વિધાર્થીઓ દ્વારા આવેદન