અયોધ્યામાં વિવાદાસ્પદ જમીન કોની તે અંગે આજથી સુનાવણી

848

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસના નેતૃત્વવાળી બેચમાં આવતીકાલે સોમવારથી સંવેદનશીલ અયોધ્યા રામ મંદિર-બાબરી મસ્જિદ જમીન વિવાદના મામલામાં સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. આ સુનાવણી ઉપર સમગ્ર દેશની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ, જસ્ટિસ એસકે કૌલ અને જસ્ટિસ કેએમ જોસેફની બનેલી બેંચ સમક્ષ આ મામલાની સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. અયોધ્યા મામલાને બંધારણીય બેંચની પાસે મોકલવાનો સુપ્રીમ કોર્ટે ઇન્કાર કરી દીધા બાદ હવે સુનાવણીને લઇને તમામની નજર આના ઉપર રહેલી છે. સુપ્રીમ કોર્ટે બંધારણીય બેંચને આ મામલાને નહીં સોંપવાના નિર્ણય બાદ આનો મતલબ એ થઇ રહ્યો છે કે, હવે આ જમીન કોની છે તેના ઉપર સુનાવણી થશે. આ પહેલા મામલામાં એક મર્યાદિત પ્રશ્નને બંધારણીય બેંચ પાસે મોકલવામાં આવે કે કેમ તેને લઇને ચુકાદો આવ્યો હતો. મુસ્લિમ પાર્ટીઓ તરફથી એવી દલીલ કરવામાં આવી હતી કે, ૧૯૮૪માં ઇસ્માઇલ ફારુકી કેસમાં સુપ્રીમ કોર્ટે પોતાના જજમેન્ટમાં કહ્યું હતું કે, મસ્જિદમાં નમાઝ અદા કરવાની બાબત ઇસ્લામનો કોઇ ભાગ નથી. આવી સ્થિતિમાં આ ચુકાદાને ફરી એકવાર ધ્યાનથી જોવાની જરૂર દેખાઈ રહી છે જેથી આ મામલાને પહેલા બંધારણીય બેંચને મોકલવાની રજૂઆત કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં અગાઉ કહ્યું હતું કે, મામલાને બંધારણીય બેંચને મોકલવામાં આવશે નહીં. આવી સ્થિતિમાં હવે મુખ્ય મુદ્દા ઉપર આવતીકાલથી સુનાવણી થશે. સુપ્રીમ કોર્ટે બહુમતિ સાથે કહ્યું હતું કે, મામલાના પુરાવાના આધાર પર પરીક્ષણ કરવામાં આવશે. ધાર્મિક મહત્વના આધાર પર પરીક્ષણ કરવામાં આવશે નહીં. રામલલ્લા વિરાજમાન તરફથી એડવોકેટ ઓનરેકોર્ડ વિષ્ણુ જૈનનું કહેવું છે કે, આવતીકાલે સોમવારના દિવસે સુનાવણીની રુપરેખા શું રખાશે તે અંગે નિર્ણય લેવામાં આવશે. હિન્દુ અને મુસ્લિમ પાર્ટીઓ વચ્ચે માલિકીના મુદ્દે સદીઓ જુના વિવાદ ઉપર હવે સુનાવણી હવે આવતીકાલથી શરૂ થવા જઇ રહી છે. અયોધ્યામાં રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ ખાતે ૨.૭૭ એકર જમીન ઉપર માલિકીને લઇને હિન્દુ અને મુસ્લિમ સમુદાયના લોકો વચ્ચે સદીઓથી વિવાદ જારી છે. અલ્હાબાદ હાઈકોર્ટે વર્ષ ૨૦૧૦માં ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો જેની સામે સતત અરજીઓ કરવામાં આવી ચુકી છે. અલ્હાબાદ હાઈકોર્ટે વર્ષ ૨૦૧૦માં ઐતિહાસિક ચુકાદો આપતા વિવાદાસ્પદ જમીનને ત્રણ ભાગોમાં વિભાજિત કરી હતી જેમાં રામલલ્લા, સુન્ની વક્ફ બોર્ડ અને નિરમોહી અખાડા વચ્ચે જમીન વિભાજિત કરી હતી. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના નેતૃત્વમાં આ મામલાની સુનાવણી આવતીકાલથી શરૂ થશે. તત્કાલિન સીજેઆઈ દિપક મિશ્રા, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એસ અબ્દુલનઝીરની બેંચે છેલ્લા ચુકાદામાં સાત વર્ષ જુની અરજી પર વહેલીતકે સુનાવણી આડેની અડચણોને દૂર કરી હતી. અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદાને પડકાર ફેંકીને આ અરજી દાખલ કરવામાં આવી હતી. સાથે સાથે પેન્ડિંગ અરજીઓને પાંચ જજની બેંચ સમક્ષ મોકલી દેવાની મુસ્લિમ પાર્ટીઓની અપીલને પણ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. બહુમતિ સાથે ચુકાદો આવ્યો હતો. આવતીકાલે સુનાવણી શરૂ થયા બાદ આ સુનાવણી મારફતે અયોધ્યામાં રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ સ્થળે જમીનની માલિકીના મુદ્દે ફેંસલો કરવામાં આવનાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે ૨૭મી સપ્ટેમ્બરના દિવસે પાંચ સભ્યોની બેંચના મસ્જિદમાં નમાઝ ઇસ્લામ માટે ફરજિયાત નહીં ગણાવવાના અગાઉના ચુકાદાને યોગ્ય ઠેરવીને આને મોટી બેંચને સોંપવાનો ઇન્કાર કરી દીધો હતો. મસ્જિદમાં નમાઝને લઇને સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે અયોધ્યા જમીન વિવાદ કેસને પાંચ જજની બેંચને સોંપવાનો સાફ શબ્દોમાં ઇન્કાર કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપતી વેળા કેટલાક તારણો પણ રજૂ કર્યા હતા. તત્કાલિન ચીફ જસ્ટિસ દિપક મિશ્રા અને જસ્ટિસ અશોક ભુષણે ૨-૧ની બહુમતિથી આ ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતી વેળા કેટલીક રજૂઆત કરી હતી. સુપ્રીમ કોર્ટના અગાઉના ચુકાદાને મોટી બેંચને મોકલી દેવાની માંગ ફગાવી દેવામાં આવી હતી. ૨૭મી સપ્ટેમ્બરના દિવસે પોતાના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે આ મામલામાં ૨૯મી ઓક્ટોબરથી રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ સ્થળે ૨.૭૭ એકર જમીનની માલિકી કોની છે તે અંગે સુનાવણી હાથ ધરવાનો ફેંસલો કર્યો હતો જેના ભાગરુપે હવે આવતીકાલથી આ મામલામાં મહત્વની સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. રામમંદિર માટે થનાર આંદોલન દરમિયાન છઠ્ઠી ડિસેમ્બર ૧૯૯૨ના દિવસે અયોધ્યામાં બાબરી મસ્જિદને તોડી પાડવામાં આવી હતી. આ મામલામાં અપરાધિક કેસની સાથે સાથે અન્ય કેસ ચાલ્યા હતા. ટાઇટલ વિવાદ સાથે સંબંધિત મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. ૩૦મી સપ્ટેમ્બર ૨૦૧૦ના દિવસે અલ્હાબાદ હાઈકોર્ટે પોતાનો ચુકાદો આપ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે, ત્રણ પક્ષો વચ્ચે જે જોગવાઈ છે તે મુજબ વચ્ચેનો હિસ્સો હિન્દુઓનો રહેશે જ્યાં હાલમાં રામલલ્લાની મૂર્તિ છે. નિરમોહી અખાડાને બીજો હિસ્સો આપવામાં આવ્યો હતો જેમાં સીતા રસોઈ અને રામ સંકુલ છે. બાકી એક તૃતિયાંશ હિસ્સો સુન્ની વક્ફ બોર્ડને આપવામાં આવ્યો હતો. આ તમામ મામલામાં હોબાળો થયો હતો. આ ચુકાદાને તમામ પક્ષકારોએ સુપ્રીમ કોર્ટમાં પડકાર ફેંક્યો હતો. નવમી મે ૨૦૧૧ના દિવસે સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદા પર પ્રતિબંધ મુકીને સ્થિતિને યથાવત રાખવાનો આદેશ કર્યો હતો. અયોધ્યા કેસમાં સુનાવણી ચલાવતી વેળા સુપ્રીમની બેંચે મસ્જિદમાં નમાઝ અંગે ૧૯૯૪ના ચુકાદાને મોટી બેંચને સોંપવાનો ઇન્કાર કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટે મસ્જિદ ઇસ્લામના અખંડ ભાગ તરીકે છે કે કેમ તે સંદર્ભમાં ૧૯૯૪ના ચુકાદા ઉપર ફરીથી વિચારણા કરવા મોટી બેંચને આ મામલાને સોંપવાનો ઇન્કાર કરી દીધો હતો. પાંચમી ડિસેમ્બર ૨૦૧૭ના દિવસે જ્યારે અયોધ્યા મામલાની સુનાવણી શરૂ થઇ ત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, આ મામલો માત્ર જમીન વિવાદનો છે પરંતુ મુસ્લિમ પક્ષકાર તરફથી રજૂ થયેલા રાજીવ ધવને દલીલ કરી હતી કે, નમાઝ અદા કરવાનો અધિકાર છે અને તેને યોગ્યરીતે રાખવો જોઇએ. નમાઝ અદા કરવાની બાબત ધાર્મિક પ્રથા તરીકે છે અને આ અધિકારથી વંચિત રાખી શકાય નહીં. તે ઇસ્લામના અખંડ ભાગ તરીકે છે. મુસ્લિમ માટે મસ્જિદમાં નમાઝ અદા કરવાની બાબત જરૂરી નથી તે અંગે ધવને દલીલ કરી હતી કે, ૧૯૯૪માં સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો હતો તેમાં કહેવામાં આવ્યું હતું કે, મસ્જિદમાં નમાઝ અદા કરવાની બાબત ઇસ્લામનો અખંડ ભાગ નથી.

Previous articleસરદાર પટેલે અશક્ય કામ પૂર્ણ કરી બતાવ્યું હતું : મોદી
Next articleઇન્ડોનેશિયા : લાયન એરમાં સવાર તમામ 189 યાત્રીઓનાં મોત