પાકિસ્તાનમાં 15 વર્ષની એક શીખ કિશોરી પર બળાત્કાર ગુજાર્યો

857

 પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં એક ઍમ્બ્યુલન્સમાં બે લોકોએ 15 વર્ષની એક શીખ કિશોરી પર બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે રવિવારે આ બાબતે જણાવતા કહ્યું કે, તે નનકાના સાહેબ શહેરમાં સ્થિત એક ગુરુદ્વારા પાસેથી ગાયબ થઈ હતી. તે ઘરે પાછી ન આવતાં પરીવારજનોએ પોલીસને આ સૂચના આપી.

કિશોરીના પિતાએ જણાવ્યું કે નનકાના બાયપાસ પર પંજાબ આપાત સેવાની એક ઍમ્બ્યુલન્સ જોઈ હતી. ઍમ્બ્યુલન્સમાંથી અમે છોકરીના ચીખવાનો અવાજ સાંભળ્યો. અમે જલ્દીથી વાહન સુધી પહોંચ્યા અને જોયું તો બે લોકો કિશોરીનું યૌન શોષણ કરી રહ્યા હતા. આરોપીઓએ કિશોરીને બે કિલોમીટર દૂર ગાડીમાંથી બહાર ફેંકી ભાગી ગયા.

Previous articleબિઝનેસમેનના એકના એક પુત્રનો આપઘાત
Next articleજાપાનની રાજકુમારીએ શાહી પરિવારનો ત્યાગ કર્યો, સામાન્ય નાગરિક સાથે કર્યા લગ્ન