સવારકુંડલા પીએસઆઈ જોશીનો વિદાય સમારોહ

794

દાઠા બગદાણા ભાવનગર અમરેલી અને સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી અને સાવરકુંડલા ડીવાયએસપી કચેરી ખાતે ફરજ બજાવતા પીએસઆઈ આર.એન.જોશી વય મર્યાદાના કારણે નિવૃત્ત થયા હતાં. દાઠા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા ત્યારે વિધાનસભાની ચૂંટણી ચાલતી હતી અને સુંદર કામગીરી કરી હતી. દાઠા પોલીસ સ્ટેશનમાં પણ આવારા તત્વોમાં ફફડાટ ફેલાયો હતો અત્યારે સાવરકુંડલામાં ડીવાયએસપી કચેરી ખાતે ફરજ બજાવતા હતા અને નિવૃત્ત થયા હતાં. અને તેમને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતાં. અને વિદાઈ સમારંભ યોજાયો હતો. તમામ પોલીસ અધિકારી હાજર રહ્યા હતાં.

Previous articleરાજુલા તાલુકાના ભેરાઈ ગામે એકતાયાત્રાનું ભવ્ય સ્વાગત
Next articleસત્ય, પ્રેમ અને કરૂણાએ ત્રિભુવન છે – પૂ બાપુ