બોટાદ બ્રાન્ચ કેનાલમાંથી ભાદર નદીમાં પાણી આપવા થયેલી માંગ

1216

બોટાદ બ્રાન્ચ કેનાલ રાણપુર ખાતે આવેલ છે તે કેનાલમાંથી પાણી ભાદર નદીમાં પાડવામાં આવે તો ભાદર નદી ઉપર ૧૦ ચેક ડેમ બાંધવામાં આવેલ છે નદી કાંઠાનાં ગામડા ઉપર ચેકમ ડેમ ભરાય તો પીવાનું પાણી પશુ માટે ઘાસચારો કરી ૧પ કરતા વધારે ગામડાઓને બચાવી શકાય એમ છે.

આ વરસે વરસાદ ઓછો હોવાથી બોટાદ બ્રાન્ચ, લીબંડી બ્રાન્ચ, વલ્લભીપુર બ્રાન્ચ મુખ્ય કેનાલોમાં પાણી બંધ કરેલ છે તે તાત્કાલીક ધોરણે ચાલુ કરવામાં આવે તો ખેડૂતો રવિપાકનું વાવેતર સમયસર કરી શકે અન્યથા વિલંબ થાય તો ખેડૂતોને તથા સરકારને ખૂબજ મોટુ નુકશાન જાય તેમ છે. પાણીનાં અભાવે ખેડૂતો સમયસર વાવણી કરી શકે નહીં અને ચણા, ઘઉં, જુવાર, રજકા વગેરે પાકો સમયસર ખેડૂતો વાવી શકે તો ખેડૂતોને મોટી રાહત રહે તેમ છે. માટે રવિ પાક માટે જે પંદર તારીખ પાણી છોડવા માટે નક્કી કરેલ છે તે તાત્કાલીક છોડવા ખેડૂતોની માંગણી છે.

Previous articleમેયર બનીશ તો ગાંધીનગર અને જનતા માટે વિકાસ કામો કરીશ
Next articleદિવાળી અને દેવ દિવાળી…. એ તમાર…