નુતન વર્ષ સ્નેહમિલનમાં શુભેચ્છાઓની કરાઈ આપ લે…

1275

વિક્રમ સંવત ર૦૭પના પ્રારંભે બેસતા વર્ષે ભાવનગર શહેરમાં સ્નેહમિલનો યોજાયા હતાં. જેમાં લોકોએ નવા વર્ષની શુભેચ્છાઓની આપ-લે કરી હતી. ભાવનગર મહાપાલિકા દ્વારા મ્યુનિસિપલ ટાઉનહોલ ખાતે નુતનવર્ષ સ્નેહમિલન યોજવામાં આવેલ જેમાં મેયર મનહરભાઈ મોરી, ડે. મેયર અશોક બારૈયા, ચેરમેન યુવરાજસિંહ, કમિશ્નર ગાંધી, ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, સાંસદ ભારતીબેન શિયાળ, સનતભાઈ મોદી, નગરસેવકો, હોદ્દેદારો, પદાધિકારીઓ, અધિકારીઓ, વેપારીઓ, ઉદ્યોગપતિઓ, રાજકીય આગેવાનો તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતાં. અને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. આ ઉપરાંત ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીના કાર્યાલયે પણ સ્નેહમિલન યોજાયેલ જેમાં ભાજપના હોદ્દેદારો તથા કાર્યકરોએ ઉપસ્થિત રહીને એક બીજાને શુભેચ્છા પાઠવી હતી. જયારે નવાપરા એસ.પી. કચેરીએ યોજાયેલ સ્નહેમિલન સમારોહમાં એસ.પી. પી.એલ. માલ, ડીવાયએસપી ઠાકરે તમામ પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. આમ નવા વર્ષના પ્રારંભે સ્નેહમિલનો યોજાયા હતાં.

Previous articleશહિદ વિર દેવાભાઈનું સ્મારક  આવનારી પેઢીને પ્રેરણા આપશે
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે