તળાજાના રોજીયા ગામે કાળ ભૈરવ દાદાની જન્મજયંતિની ઉજવણી કરાશે

1305

રોજીયા ગામે કાળ ભૈરવ દાદાનું ભવ્ય મંદિર આવેલું છે. દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ તા. ર૯-૧૧ ગુરૂવારે જન્મજયંતિ ઉજવણી કરવામાં આવશે. પુજનવિધી સવારના ૬ કલાકે ધર્મસભા નવથી બાર કલાકે દિવસે સત્ય નારાયણ ભગવાનની કથા રાખવામાં આવશે. મહાપ્રસાદ બપોરના બાર કલાકે આર્શિવચન અંબીકા આશ્રમના મહંત રમજુબાપુ આપશે રાત્રીના ભવ્ય સંતવાણી કાર્યક્રમ રાખવામાં આવેલ છે. જેમાં નામી અનામી કલાકારો હાજરી આપશે કાળભૈરવ ધામ આશ્રમ અને દાઠા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કુલદીપસિંહ દ્વારા જાહેર અનુરોધ કરાયો છે.

Previous articleધો. ૧૧-૧૨ કોમર્સના અભ્યાસક્રમમાં GSTનો વિષય ઉમેરાશે
Next articleરાણપુર સરપંચ દ્વારા એસ.પી.નું  સન્માન