અહંક્લેશ વિના પાંચ હીરો સાથે કામ ન કરી શકે : અક્ષય કુમાર

1237

મોખરાના અભિનેતા અક્ષય કુમારે કહ્યું હતું કે બોલિવૂડમાં પાંચ મોખરાના અભિનેતા અહંક્લેશ વિના એક ફિલ્મમાં સાથે કામ કરી શકે એ બહુ મુશ્કેલ અને વિરલ ઘટના ગણાય. ’ભારતના મંગળ અભિયાન વિશેની મારી ફિલ્મ મિશન મંગલ માટે અમે ચાર પાંચ અભિનેત્રીને સાઇન કરી છે. એ બધીય એકમેકની સાથે કામ કરશે. પરંતુ એક સાથે પાંચ મોખરાના હીરોને  આ રીતે પરસ્પર મનમેળથી કામ કરતાં કલ્પી શકાય નહીં.’

આ ફિલ્મમાં વિદ્યા બાલન, તાપસી પન્નુ, સોનાક્ષી સિંહા, નિત્યા મેનન અને કીર્તિ કુલ્હારીને સાઇન કરવામાં આવી છે અને પાંચે અભિનેત્રી અક્ષય કુમાર સાથે આ અવકાશયાત્રા વિષયની  ફિલ્મ કરવાની તક મળવા બદલ ખુશ છે. અક્ષય કુમાર ઉપરાંત આ ફિલ્મમાં શરમન જોશી પણ ચમકી રહ્યો છે.ઔઅક્ષયે કહ્યું કે તમે સાચું માનજો, આ ફિલ્મના સાચા હીરો આ બધી અભિનેત્રી છે. હું તો તેમની પાછળ છું. અમે એવો દ્રષ્ટિકોણ અપનાવ્યો છે કે મહિલા વિજ્ઞાાનીઓ ભારતના મંગળ અભિયાને સફળ બનાવે છે. સ્ક્રીપ્ટ જ એ રીતે તૈયાર કરાવાઇ છે. હું આ ફિલ્મનો પ્રોડયુસર છું. આ પાંચે આમ જુઓ તો મોખરાની અભિનેત્રીઓ છે. દરેકનું પોતાનું સ્ટેટસ છે.

Previous articleમહેશ ભૂપતિનો ઘટસ્ફોટ : લારાએ ‘હાઉસફુલ’ વખતે સાજિદની કરી’તી ફરિયાદ
Next articleરાજસ્થાન ચૂંટણીના કારણે પ્રિયંકા ચોપરાએ બદલવું પડ્યું પ્રી વેડિંગનું સ્થળ