દિવ્યાંગોના વિવિધ પ્રશ્નો અંગે પાલીતાણામાં આવેદન અપાયું

545

વિશ્વ વિકલાંગ દિન નિમિત્તે દિવ્યાંગોના પ્રશ્નો બાબતે નાયબ કલેક્ટર કે.કે. સોલંકી પાલીતાણાને આવેદનપત્ર આપવામાં આવેલ હતું. તેમાં ૧ થી ૧પ પ્રશ્નો હતા. જેમાંથી ઘણા પ્રશ્નો સ્થાનિક લેવલના હતા તે અંગે નાયબ કલેક્ટરે ખાતરી આપી છે કે વહેલામાં વહેલી તકે પ્રશ્નોનું નિરાકરણ આવશે. આ આવેદનપત્ર માટે સંસ્થાના પ્રમુખ પ્રકાશભાઈ એસ. સોલંકી તેમજ ઉપપ્રમુખ મુકેશભાઈ એમ. મકવાણા તેમજ ટ્રસ્ટી નટુભાઈ ડાભી તેમજ અન્ય દિવ્યાંગો સાથે રેલી કાઢીને આવેદનપત્ર આપવામાં આવેલ હતું.

Previous articleસરદાર નંદીશાળામાં ગમાણનું લોકાર્પણ
Next articleજીપીસીસી દ્વારા જીવરાજભાઈનું સન્માન