મોનિટરી પોલિસીમાં રેપો અને રિવર્સ રેપોરેટ યથાવત રખાયા

658

રિઝર્વ બેંકની નાણાંકીય નીતિ સમીક્ષાના પરિણામ આજે જાહેર કરવામાં આવ્યા હતા. ધારણા પ્રમાણે જ ચાવીરુપ રેપોરેટ ૬.૫ ટકાના દરે યથાવત રાખવાનો નિર્ણય કરાયો હતો. સતત બીજી વખત વ્યાજદર સાથે કોઇ ચેડા કરવામાં આવ્યા નથી. રિવર્સ રેપોરેટ પણ ૬.૨૫ ટકાના દરે યથાવત રાખવામાં આવ્યો છે. સીપીઆઈ ફુગાવા અને અન્ય બાબતોને ધ્યાનમાં લઇને આરબીઆઈ દ્વારા વ્યાજદરના સંદર્ભમાં નિર્ણય લેવામાં આવે છે. જો કે, આ યોજાયેલી બેઠકમાં એસએલઆરમાં ૨૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હતો. જો કે, રિઝર્વ બેંકનું કહેવું છે કે, એસએલઆરમાં ૧૮ ટકાની તેમાં દર ત્રિમાસિક ગાળામાં ૨૫ બેઝિક પોઇન્ટ સુધીનો ઘટાડો કરાશે. જીડીપી ગ્રોથનો અંદાજ પણ ૭.૪ ટકાના દરે યથાવત રાખવામાં આવ્યો છે જ્યારે ૨૦૧૯-૨૦માં પ્રથમ છ મહિનાના ગાળા દરમિયાન જીડીપી ગ્રોથ ૭.૫ ટકા રાખવામાં આવ્યો છે.

નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ની આ પાંચમી દ્વિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષા હતા. હવે આગામી બેઠક સાતમી ફેબ્રુઆરી ૨૦૧૯ના દિવસે યોજાશે. ઓગસ્ટ મહિનામાં રેપોરેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કરવામાં આવ્યો હતો. રિઝર્વ બેંક દર ત્રણ મહિનામાં આર્થિક નીતિઓની સમીક્ષા કરે છે. આ ગાળા દરમિાયન વ્યાજદરો અથવા તો પોલિસી રેટ ઘટાડવા અથવા વધારવાના સંદર્ભમાં નિર્ણય કરવામાં આવે છે. આ જાહેરાતની સાથે અમે વારંવાર રિવર્સ રેપોરેટ, રેપોરેટ, સીઆરઆર, એસએલઆર જેવા શબ્દો સાંભળીએ છીએ. બેંકોને પોતાના દરરોજના કામકાજ માટે એવી મોટી રકમની જરૂર હોય છે જેની અવધિ એક દિવસથી વધારેની હોતી નથી. આના માટે બેંક સામાન્યરીતે રિઝર્વ બેંકથી એક દિવસ માટે ઓવરનાઇટ લોન મેળવે છે. આ લોન ઉપર રિઝર્વ બેંકને તેમને વ્યાજ ચુકવવાની જરૂર હોય છે. જે વ્યાજ ચુકવવાની જરૂર હોય છે તેને રેપોરેટ કહેવામાં આવે છે. બીજી બાજુ રિવર્સ રેપોરેટ આનાથી બિલકુલ અલગ હોય છે.

બેંકોની પાસે દિવસભર કામકાજ બાદ મોટી રકમ બચી જાય છે. બેંક આ રકમ રિઝર્વ બેંક પાસે રાખી શકે છે જેના ઉપર તેમને વ્યાજ મળે છે જે રકમ ઉપર આ વ્યાજ મળે છે તેને રિવર્સ રેપોરેટ કહેવામાં આવે છે. આવી જ રીતે તમામ બેંકો માટે જરૂરી હોય છે કે, તે પોતાની પાસેના કુલ કેશ રિઝર્વનો એક ચોક્કસ હિસ્સો બેંક પાસે જમા રાખે અને કેશ રિઝર્વ રેશિયો કહેવામાં આવે છે. ક્યારેક એવું બને છે કે, એક સાથે અનેક જમા કરનાર લોકો પોતાના પૈસા ઉપાડવા માટે બેંકોમાં પહોંચી જાય છે. આવી સ્થિતિમાં બેંક ડિફોલ્ટ ન કરે તે માટે આ રકમ લેવામાં આવે છે. આવી જ રીતે એસએલઆર પણ મહત્વપૂર્ણ બાબાત છે. કોમર્શિયલ બેંકો માટે પોતાના દરેક દિવસના કારોબારના અંતમાં રોકડ રકમ, સોના-ચાંદી અને સરકારી સિક્યુરિટીમાં રોકાણ તરીકે એક મોટી રકમ રિઝર્વ બેંકની પાસે રાખવાની જરૂર હોય છે. જે તે કોઇપણ ઇમરજન્સી દેવાદારીને પૂર્ણ કરવા માટે ઉપયોગ કરી શકે છે.

Previous articleનક્સલવાદીઓએ પોતે જ પોતાના બે સાથીદારોને ફૂંકી માર્યા
Next articleગણેશનગર પ્રા. શાળા દ્વારા સ્વચ્છતા અભિયાન