પૃથ્વીનું બીજી ટેસ્ટમાં પણ રમવું મુશ્કેલ : કોચ રવિ શાસ્ત્રી

1518

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ એડિલેડ ખાતે રમાઇ રહી છે, ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી, શરૂઆતમાં જ ટીમ ઇન્ડિયાએ ધબડકો કરતાં ૧૦૦ રનની અંદરજ અડધી ટીમ પેવેલિયન ભેગી થઇ ગઇ હતી.

ઓપનરના ધબડકાની સાથે ટીમ ઇન્ડિયા ખરાબ રીતે એકપછી એક વિકેટ ગુમાવતી હતી. આ બધાની વચ્ચે ક્રિકેટ ફેન્સમાં ચર્ચા ચાલી રહી છે કે ઓપનરોના ખરાબ ફોર્મ અને શૉને રોકવા યુવા ઓપનર પૃથ્વી શૉ ક્યારે ટીમ ઇન્ડિયા સાથે જોડાશે. યુવાન ઓપનિંગ બેટ્‌સમેન પૃથ્વી શૉ તેના પગની ઘૂંટીમાં થયેલી ઈજામાંથી વહેલાસર સાજો થઈ રહ્યો છે અને તે મેલબર્નમાં બૉક્સિગં-ડેથી રમાનારી ત્રીજી ટેસ્ટ મેચમાં ટીમમાં કદાચ પાછો ફશે, એમ ભારતના કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું હતું. પહેલી ટેસ્ટના પહેલા દિવસે ઓપનરો ખરાબ રીતે આઉટ થયા હતા, લોકેશ રાહુલ ૨ રન (૮) હેઝલવુડની બૉલિંગમાં ફિન્ચના હાથે ઝીલાઇ ગયો હતો, જ્યારે બીજા ઓપનર તરીકે આવેલા મુરલી વિજયે પણ નિરાશ કર્યા હતા, તેને પણ સ્ટાર્કે પેનના હાથમાં ૧૧ રને (૨૨) ઝીલાવી દીધો હતો. આ અંગે કૉચ રવિ શાસ્ત્રીએ કહ્યું કે, પૃથ્વી શૉ ત્રીજી ટેસ્ટ મેચ સુધીમાં ટીમમાં પરત ફરી શકે છે, પૃથ્વી શૉ બૉક્સિંગ ડે મેચ રમશે. ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયા ઇલેવન સામે રમતી વખતે પૃથ્વી શૉ બાઉન્ડ્રી પર એક કેચ પકડવા જતાં ઇજાગ્રસ્ત થયો હતો.

Previous articleઆઈપીએલ-૨૦૧૯ઃ યુવીએ ઘટાડી પોતાની બેસ પ્રાઈઝ
Next articleએડિલેડ ટેસ્ટ : પ્રથમ દિવસે ભારતના ૯ વિકેટે ૨૫૦