ભાજપની નીતિ રીતીને લોકોએ જાકારો આપ્યો છે – રાજેશ જોશી

1280

પાંચ રાજયોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો આજે જાહેર થતા પાંચ પૈકી ત્રણ વિધાનસભામાં કોંગ્રેસને બહુમતી પ્રાપ્ત થતા ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના ઘોઘા ગેઈટ ચોકમાં ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવવામાં આવ્ય્‌ હતો. આ ઉપરાંત કોંગ્રેસ અને પાટીદાર સમાજના આગેવાનો કાર્યકરો દ્વારા શહેરના નિર્મળનગર, હિરા બજારમાં પણ ફટાકડા ફોડી કોંગ્રેસના વિજયને વધાવી લેવામાં આવ્યો હતો. તેમજ શહેરના કાળાનાળા સંતકંવરરામ ચોકમાં પણ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી કોંગ્રેસના વિજયને વધાવી લીધો હતો.

પાંચ રાજય પૈકી રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ તરફી પરિણામ જાહેર થતા ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના ઘોઘાગેઈટ ખાતે વિજય ઉતસવ મનાવવામાં આવ્યો હતો. ઘોઘાગેઈટ ચોકમાં એકઠા થયેલા શહેર કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ સુત્રોચ્ચાર કરી તેમજ ફટાકડા ફોડી ત્રણ રાજયમાં કોંગ્રેસની થયેલી જીતને વધાવી હતી.

ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેશ જોષીએ ઉપરોકત તમામ રાજયના મતદારોનો આભાર વ્યકત કર્યો હતો. પ્રજાએ કોંગ્રેસને ખોબલે ખોબલે મત આપી વિજય અપાવ્ય્‌ છે તે વિજય લોકોનો વિજય છે અને ભાજપની રીતીનિતીને મતદારોએ જાકારો આપયો છે. આવનારી લોકસભાની ચૂંટણીમાં પણ લોકો ભાજપને જાકારો આપી કોંગ્રેસ અને તેના સાથી પક્ષોને વિજય અપાવશે તેવી આશા વ્યકત કરી હતી. રાજેશ જોષીએ વધુમાં જણાવ્યું હતું કે, ફેકોલોજી નરેન્દ્ર મોદી અને અમીત  શાહે ચાલુ ચૂંટણીના પ્રચાર દરમ્યાન કોંગ્રેસને વિધવા કહેલ તેનો જવાબ આ પાંચ રાજયના મતદારોએ અમીત શાહને અને નરેન્દ્રમ ોદીને જવાબ આપીને પોતાને જ વિધવા કરી દીધા છે. તેમજ રાહુલ ગાંધીને આજ સુધી નરેન્દ્ર મોદી અને અમીત શાહ પપ્પુ કહીને અને તેમની વ્યક્તિગત ઠેકડી ઉડાડીને મજાક કરી રહ્યા હતાં. તે જ રાહુલ ગાંધીએ આ રાજયની પ્રજાને સાથે લઈ અને પોતાને જ પપ્પુ બનાવી દીધા છે. તેમ રાજેશ જોષીએ જણાવ્યું હતું. આજે ઘોઘાગેઈટ ચોક, નિર્મળનગર, કાળાનાળા ચોક સહિતના જુદા-જુદા વિસ્તારોમાં યોજાયેલા આતશબાજીના કાર્યક્રમમાં શહેર કોંગ્રેસના નગર.સેવકો, કોંગ્રેસના હોદ્દેદારો, પદાધિકારીઓ, આગેવાનો, કાર્યકરો, આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

Previous articleજાળીયા નજીક અકસ્માતમાં બેના મોત
Next articleઠંડી શરૂ થતા ગરમ વસ્ત્રોનું બજાર જામ્યું