જય માળનાથ ગૃપ દ્વારા રક્તપિત દર્દીઓને ગરમ કપડાનું વિતરણ

1012

જય માળનાથ ગૃપ, ભાવનગર દ્વારા રકતપિત દર્દીઓને તથા તમામ પરિવારજનોને ગરમ કપડાનું વિતરણ કરવામાં આવેલ છે. માળનાથ ગૃપ દ્વારા પ્રત્યેક તહેવારોમાં ગરીબ બાળકોને તહેવારો અનુસાર દાતાના સહયોગથી ચીજ-વસ્તુઓ વિતરણ કરી. પ્રેરણા આપવામાં આવે છે.

આ ઉપરાંત વિવિધ પ્રસંગોએ પણ માળનાથ ગૃપ મીઠાઈ-ફરસાણ તો ખરૂં જ તથા ઠંડીમાં ગરમ કપડા, ઉનાળામાં પગમાં પહેવાના ચંપલ આમ, સમયાનુસાર ગરીબ જરૂરીયાત મંદોને વિવિધ વસ્તુઓનું સતત વિતરણ કરવામાં આવતું હોય છે.  તથા ગરીબ વીદ્યાર્થીઓને નોટ-બુક, ચોપડા તથા દફતર, વિગેરે ભણતરના સાધનો પુરા પાડવામાં આવે છે.

આ ઉપરાંત આ શિયાળા દરમ્યાન સુષાનગર સ્લમ વિસ્તાર તથા ગધેડીયાફીલ્ડ તથા ભાવનગરના અન્ય સ્લમ વિસ્તારોમાં ગરમ કપડાના વિતરણી પ્રવૃત્તિ સતત ચાલી રહી છે. આ સીઝનમાં ૯૦૦થી વધારે ગરમ કપડા ધાબળાનું વિતરણ થઈ ચુકયું છે. આ આગામી દિવસોમાં ગરમ કપડા તથા ધાબળાનું આ વિતરણ ચાલુ રહેશે.

બિન ઉપયોગી  વધારાના વસ્ત્રો તથા બિનજરૂરી ચાદર, ગોદડા વગેરે ગરીબો સુધી પહોંચાડવા માટે હરીભાઈ શાહનો ૯૮૭૯૦૯રપ૬૬ / ૯૮ર૪રર૧૭૧પ સંપર્ક કરવા જણાવાયું છે.

Previous articleજયપુરમાં એપીએમ ટર્મિનલ્સ પિપાવાવની ટ્રેડમીટનું આયોજન
Next articleસમીર શાહનો વર્કશોપ યોજાયો