રાજકોટ જેલમાંથી પેરોલ પરથી ફરાર કેદી પિસ્ટલ સાથે બાબરકોટથી ઝડપાયો

774

બોટાદ એસઓજી-પેરોલ-ર્ફ્લો સ્કવોર્ડના માણસો આજરોજ પાળીયાદ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય દરમ્યાન પો.કોન્સ. ભગીરથભાઈ જોરૂભાઈ તથા પેરોલ-ફર્લો સ્કવોર્ડના પો.કોન્સ. હસુભાઈ જેબલીયાને સંયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે રાજકોટ બી ડીવી. પોસ્ટે.ના ગુનાના કામનો અને હાલ રાજકોટ મધ્યસ્થ જેલમાંથી છેલ્લા ત્રણેક માસથી પેરોલ પરથી ફરાર આરોપી મનસુખભાઈ નાગજીભાઈ શેખ રહે.બાબરકોટવાળો બાબરકોટ ચોકડી પાસે આવવાનો છે. જે બાતમી હકીકત આધારે વોચ ગોઠવી સદર આરોપી આવતા કોર્ડન કરી પકડી પાડી મજકુર આરોપી પાસેથી એક દેશી બનાવટની પિસ્ટલ, મેગ્જીન તથા જીવતા પાંચ કારતુસ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આગળની તપાસ એન.સી. સગર, પો.સબ ઈન્સ. પાળીયાદ ચલાવી રહ્યાં છે.

Previous articleસનાતન શાળાના વિદ્યાર્થીઓનું સ્નેહમિલન
Next articleજાફરાબાદમાં આરએએફની ફ્લેગમાર્ચ