ખ્રિસ્તી સમાજ દ્વારા ક્રિસ્મસની કરાયેલી ઉજવણી

910

ભાવનગર શહેરના વિઠ્ઠલવાડી ખાતે આવેલા સીએનઆઈ ચર્ચ ખાતે ખ્રિસ્તી સમાજ દ્વારા આજે રપ ડિસેમ્બર નાતાલ (ક્રિસ્મસ)ની ઉજવણી કરી હતી. ભાવનગરમાં વસતા ખ્રિસ્તી સમાજના ભાઈઓ-બહેનો સવારે ચર્ચમાં એકઠા થયા હતા જયાં પ્રાર્થના કરાઈ હતી. ત્યાર બાદ એક બીજાને શુભેચ્છા પાઠવી હતી. ગતરાત્રીના ૧ર વાગ્યે લાઈટ-ડેકોરેશનના ઝળહળાટ સાથે કેક કાપીને ઈસુના જન્મદિનની ઉજવણી કરવામાં આવેલ. ખ્રિસ્તી સમાજ દ્વારા તા. ૧ જાન્યુઆરી સુધી ક્રિસ્મસની ઉજવણી કરશે.

Previous articleકથામાં કૃષ્ણજન્મની ઉજવણી
Next articleસફળતાની સીડીનું મહત્વનું પગથિયું  ટેન્શનમુક્તિ – તણાવમુક્તિ