ઈન્ડોનેસીયા સુનામીમાં માર્યા ગયેલાઓને પૂ. મોરારિબાપુ દ્વારા ર૦ લાખની સહાય

648

ઈન્ડોનેસીયામાં ગત જાન્યુઆરી અને આ રર તારીખે એમ ઉપરા ઉપરી બે વખત સુનામી અને જવાળામુખીની આપત્તિ આવેલ છે. આ પ્રાકૃતિક આપદામાં સેકન્ડો વ્યક્તિઓએ પોતાનો જાન ગુમાવ્યા છે. આ આપદામાં સહાયભૂત થવા મોરારિબાપુએ ચિત્રકુટધામ તલગાજરડા દ્વારા હનુમાનજીની સાંત્વનારૂપે તાજેતરમાં આવેલ સુનામીમાં માર્યા ગયેલાં ૪૦૦થી વધુ લોકોના સ્વજનોને, પ્રત્યેકને રૂપિયા પાંચ હજારની એટલે કે કુલ રૂપિયા ર૦ લાખ ઉપરાંતની તાત્કાલ સહાય મોકલાવેલ છે. આ રકમ મુળ ભારતીય અને હાલમાં ઈન્ડોનેસીયા રહેતા રામકથા સાથે જોડાયેલા પરિવાર દ્વારા વિતરિત થશે.

માનસ ગણિકા રામકથા એટલે સંવેદનશીલતાની ચરમસીમા. જે બહેનો ઉપેક્ષિત છે, જેને સમાજ નિંદા અને નફરતથી જુએ છે. તેવી બહેનોના પુનઃ વસન માટે તેમની મજબુરીઓને અને તેમની વેદનાઓને સમાજ ઓળખી શકે તેમજ તેમના નિર્દોષ સંતાનો અને પરિવારજનો માટે નક્કર કાર્ય થઈ શકે તેવા બહુમુખી આયામ અને વિચાર સાથે ગત તારીખ રર-૧ર-૧૮થી અયોધ્યાજી ખાતે શરૂ થયેલી રામકથામાં ગઈકાલ સુધીમાં રૂપિયા ૩ કરોડ પચાસ લાખ ઉપરાંતનું અનુદાન આવેલ છે. જે રકમ સેકસવર્કર બહેનો માટે કાર્યરત સંસ્થાઓને સાથે રાખી તેવી બહેનોના પરિવારોના પુનઃવસન માટે ઉપયોગમાં લેવાશે.

Previous articleમારમારીના ગુનામાં બે વર્ષથી નાસતા ફરતા બે શખ્સો ઝડપાયા
Next articleરાણપુર પંથકમાં પોલીસ કાફલાએ પ્રોહિબીશન અંગે સઘન ચેકીંગ કર્યુ