આમિર ખાને ચાહકોને કરી અપીલ રૂબરૂ રોશની જોવાનું ચૂકતા નહીં

979

સુપર સ્ટાર અને ફિલ્મ સર્જક આમિર ખાને દેશના ફિલ્મ રસિકો અને ખાસ તો પોતાના ચાહકોને એવી જાહેર અપીલ કરી હતી કે અમારી હવે પછીની ફિલ્મ રૃબરૃ રોશની જોવાનું ચૂકતા નહીં પ્લીઝ.

’અમારી આ ફિલ્મ પ્રજાસત્તાક દિને સવારે ૧૧ વાગ્યે ટીવી પર રજૂ થવાની છે. આ ફિલ્મ મેં અને મારી પત્ની કિરણ રાવે બનાવી છે’ એમ આમિર ખાને કહ્યુંં હતું. અત્યાર અગાઉ એ ટીવી પર સત્યમેવ જયતે નામે ચેટ શો રજૂ કરી ચૂક્યો છેે.

તાજેતરમાં રજૂ થયેલી અને મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને પણ આમિર ખાન સાથે પહેલીવાર ચમકાવતી યશ રાજની વિજય કૃષ્ણ આચાર્ય નિર્દેશિત ફિલ્મ ઠગ્સ ઑફ હિન્દુસ્તાન બોક્સ ઑફિસ પર ભૂંડે હાલે પીટાઇ ગઇ હતી અને એ માટે આમિર ખાને જાહેરમાં દર્શકોની માફી માગતાં અમે ક્યાંક ચૂકી ગયા છીએ એવો એકરાર કર્યો હતો.

Previous articleઅજય દેવગનન સાથે પ્રકાશ ઝા ફરીવખત ફિલ્મ બનાવશે
Next articleઇશા ગુપ્તા ફિલ્મો મેળવી લેવા હજુ પણ સંઘર્ષ કરે છે : હેવાલ