દામનગરમાં એસટીની બેધારી નીતિ સામે લોકોમાં નારાજગી

643

દામનગર શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોના કથળતી જતી એસટી સેવાથી લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે વર્ષો જૂનો રૂટ ધારી ભાવનગર બસ એકા એક બંધ તાજેતરમાં ગારીયાધાર ડેપો ની દ્વારકા ગારીયાધાર એસ ટી સેવા બંધ કરી દેવાય છે  વહેલી સવારે ગારીયાધારથી ઉપડતી બસ દ્વારકાથી પરત મોડી રાત્રે આવતી જે બસ એકા એક બંધ કરી દેવાય છે  એસટી સેવાને આવકના સ્ત્રોત તરીકે જોવાની નીતિ સામે નારાજગી જોવા મળી રહી છે  એક બાજુ એસટી નવા નવા સુધારા પ્રવાસીઓને આકર્ષવાની વાતો કરે છે અને પ્રવાસીઓ સાથે અતિથિ દેવો ભવના સ્લોગન સાથે ચાલતી સેવાને લોભનો લૂણો લાગી રહ્યો છે જે તે ડેપોમાં  ફોન કરીને એસટી સેવા અંગે પૂછાય તો જવાબ આપે છે  કે ટ્રાફિક નથી મળતો એટલે બસ બંધ કરી દેવાય છે  બીજી બાજુ દામનગર શહેરને કરોડોના ખર્ચે ડેપો બનાવી દેતી પરિવહન કચેરીની બેધારી નીતિ સામે ભારે નારાજગી જોવા મળી રહી છે દામનગર શહેરી અને ચાલીસથી વધુ ગ્રામ્યની જનતા માટે એસટી તંત્ર વ્યવસ્થા નહીં કરે તો આગામી દિવસોમાં એસ ટી રોકો આંદોલન કરવા ફરજ પડશે તેવો ગણગણાટ સંભળાય છે

Previous articleLRD પરીક્ષાર્થી વિદ્યાર્થીઓ માટે અનોખી વ્યવસ્થા
Next articleતાલુકા હેલ્થ ઓફીસ ધંધુકા,ધોલેરા દ્વારા જન જાગૃતિ વર્કશોપ યોજાયો