અખીલ ભારતીય મોઢ વણિક યુવા સંમેલન યોજાયું

716

મોઢ મહોદય સંસ્થા દ્વારા મેઘાણી ઓડીટોરીયમ હોલ ખાતે અખીલ ભારતીય મોઢવણીક યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રિલાયન્સ પરિવારના વિમલભાઈ અંબાણીના અધ્યક્ષ સ્થાને યોજાનાર આ સંમેલનમાં ઉદ્દઘાટક  રાજેશભાઈ પરીખ, બીપીનભાઈ પરેખ, દિપકભાઈ શાહ, મુકેશભાઈ દોશી તેમજ સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ સુનિલભાઈ વડોદરિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.

આ કાર્યક્રમમાં વ્યક્તિત્વનો વિકાસ થાય, કૌશલ્ય પ્રાપ્ત કરે, વડિલો પ્રત્યે આદરભાવ જાગે, અને યુવાનોમાં રહેલી ઉર્જા હકારાત્મક અને રચનાત્મક રીતે સમાજના વિકાસમાં કામ આવે એવા ઉમદા આશયથી આ સંમેલનનું આયોજનનો મુખ્ય્‌ હેતું છે. જેમાં આ અખીલ ભારતીય મોઢ વણિક યુવા સંમેલન મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતાં.

Previous articleપુંજાબાપુ ગૌશાળાથી ક્બરસ્તાનના નવા રોડની કામગીરીનો પ્રારંભ
Next articleપ્રશ્નોરા નાગર જ્ઞાતિની પાંચમી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ