ટ્રેડ યુનિયનોની આજથી બે દિવસની દેશવ્યાપી હડતાળ

543

સેન્ટ્રલ ટ્રેડ યુનિયનોની આવતીકાલે હડતાળ પડનાર છે. સરકારની નીતિઓ સામેના વિરોધમાં ટ્રેડ યુનિયનો દ્વારા બે દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાળની જાહેરાત કરવામાં આવી છે. સેન્ટ્રલ ટ્રેડ યુનિયનોનું કહેવું છે કે, આશરે ૨૦ કરોડ વર્કરો આ બે દિવસની હડતાળમાં સામેલ થનાર છે. એક પક્ષીય શ્રમ સુધારા અને વર્કર વિરોધી નીતિઓના પરિણામ સ્વરુપે આ હડતાળ કરવામાં આવનાર છે. ૧૦ સેન્ટ્રલ ટ્રેડ યુનિયનો દ્વારા બે દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાળ માટે હાથ મિલાવ્યા છે. હડતાળમાં ૨૦ કરોડ લોકો જોડાશે. ફોર્મલ અને ઇનફોર્મલ સેક્ટરમાં સૌથી વધુ સંખ્યામાં વર્કરો આ હડતાળમાં સામેલ થઇ રહ્યા છે. ભાજપના નેતૃત્વમાં કેન્દ્ર સરકારની વર્કર વિરોધી નીતિ અને લોક વિરોધી નીતિના વિરોધમાં આ હડતાળ પાડવામાં આવી રહી છે. ૧૦ સીટીયુની સંયુક્ત પત્રકાર પરિષદમાં બોલતા એઆઈટીયુસીના જનરલ સેક્રેટરી અમરજીત કૌરે માહિતી આપતા કહ્યું હતું કે, ટેલિકોમ, હેલ્થ, એજ્યુકેશન, કોલસા, સ્ટીલ, ઇલેક્ટ્રીસિટી, બેંકિંગ, ઇન્સ્યોરન્સ, પરિવહન જેવા સેક્ટરો પણ આ હડતાળને ટેકો આપી ચુક્યા છે.

મંડી હાઉસથી લઇને નવી દિલ્હીમાં સંસદ સુધી બુધવારના દિવસે કુચ કરવામાં આવશે. દેશભરમાં આવા જ દેખાવ કરવામાં આવનાર છે. કૌરે કહ્યું હતું કે, સીટીયુ દ્વારા એક પક્ષીય શ્રમ સુધારાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, શ્રમ સુધારાના સંદર્ભમાં અમે શ્રેણીબદ્ધ સૂચન કરી ચુક્યા છે પરંતુ ચર્ચા દરમિયાન ટ્રેડ યુનિયનોની માંગને ફગાવી દેવામાં આવી હતી. બીજી સપ્ટેમ્બર ૨૦૧૬ના દિવસે પણ અમે હડતાળ ઉપર ગયા હતા. અમે ૯-૧૧ નવેમ્બરના દિવસે પણ મહાપડાવનો કાર્યક્રમ યોજી ચુક્યા છે પરંતુ સરકારે મંત્રણા માટે તૈયારી દર્શાવી નથી. સરકાર રોજગારીની તકો ઉભી કરવામાં નિષ્ફળ રહી છે. યુનિયનોની ૧૨ મુદ્દાની માંગણીની અવગણના કરવામાં આવી છે.

નાણામંત્રી અરુણ જેટલીના નેતૃત્વમાં ગ્રુપ ઓફ મિનિસ્ટરે ચર્ચા માટે ક્યારે પણ યુનિયનોને બોલાવ્યા નથી જેથી હડતાળ ઉપર જવા સિવાય અમારી પાસે કોઇ વિકલ્પ ન્રહ્યા નથી. સંયુક્ત નિવેદનમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, સરકારે વર્કરોની માંગણી તરફ ધ્યાન આપ્યું નથી. જિદ્દી વલણ અપનાવ્યું છે જેના પરિણામ સ્વરુપે નોકરી કરતા લોકોના જીવન ધોરણ સામે અનેક પ્રકારની હડચણો આવી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, ટ્રેડ યુનિયન એક્ટ ૧૯૨૬માં સુધારાઓનો પણ વિરોધ કર્યો છે. યુનિયનોએ દાવો કર્યો છે કે, તેમની સંસ્થાઓ મારફતે કૃષિ સમુદાયના લોકોએ પણ હડતાળને ટેકો આપવાની વાત કરી છે. સાથે સાથે વિદ્યાર્થીઓ અને જુદી જુદી યુનિવર્સિટીઓના શિક્ષણ સંગઠનોએ પણ હડતાળને ટેકો આપ્યો છે.

Previous articleસ્થિતિનો સામનો કરવા અખિલેશ યાદવને માયાવતીની સ્પષ્ટ સલાહ
Next articleનિર્મલા સીતારામન રક્ષા મંત્રી નહીં પરંતુ પીએમ મોદીની પ્રવક્તાઃ રાહુલ ગાંધી