રંગપર ગામે યુવાનની હત્યા

1073

બોટાદ જિલ્લાના પાળીયાદ તાબેના રંગપર ગામે રહેતા કોળી યુવાનને છ શખ્સોએ તિક્ષણ હથિયારો વડે જીવલેણ હુમલો કરી માર મારતા ગંભીર હાલતે ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં દાખલ કરાયેલ. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત થતા બનાવ હત્યામાં પરિણમ્યો હતો. બનાવ સંદર્ભે મૃતકના કૌટુમ્બીક ભાઈએ છ શખ્સો વિરૂધ્ધ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ પાળીયાદ તાબેના રંગપર ગામે રહેતા કોળી યુવાન અમીત પ્રેમજીભાઈ તાવીયા ઉ.વ.૧૮ને રંગપર ગામે પાણી અને ગટરના કામે જેસીબી ચલાવવા બાબતે સરપંચ સાથે બોલાચાલી થતા સરપંચે લાફો મારેલ હોય અને તા.૪ના રોજ સવારે આઠેક વાગ્યે ફરી સાથે બોલાચાલી કરેલ. જે બાબતનું મનદુઃખ રાખી રાજેશ પ્રેમજીભાઈ કુકડીયા, જગદિશ પ્રેમજીભાઈ કુકડીયા, જયંતિ પ્રેમજીભાઈ કુકડીયા, મુન્ના ધનજી કુકડીયા, રવિ જેસાભાઈ કુકડીયા તથા ડુરેશ રતુભાઈ પરમાર એક સંપ કરી યુવાન અમીતને લોખંડના પાઈપ, ધારીયુ, છરી, લાકડાનો ધોકો સહિત હથિયારો વડે માથાના ભાગે તથા ફરિયાદી તેજાભાઈને પણ ઈજા કરતા ગંભીર હાલતે અમીત તાવીયાને ભાવનગર સર ટી. હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયેલ. આ બનાવ અંગે તેજાભાઈ વેલાભાઈ તાવીયાએ ઉપરોક્ત છ શખ્સો સામે ફરિયાદ દાખલ કરાવેલ.

ગંભીર હાલતે સારવારમાં ખસેડાયેલ અમીતનું સારવાર દરમ્યાન મોત થતા બનાવ હત્યામાં પરિણમ્યો હતો અને પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી આરોપીઓને ઝડપી લેવાની તજવીજ હાથ ધરેલ છે.

Previous articleપૂ.મોરારિબાપુ દ્વારા શુક્રવારે રાજ્યનાં શ્રેષ્ઠ શિક્ષકોને ચિત્રકુટ એવોર્ડ અપાશે
Next articleભાવનગરમાં દબાણ હટાવ કામગીરી