કેન્દ્રિય મંત્રી અનુપ્રિયા સામે કેસને પરત લેવા માટે તૈયારી

529

કેન્દ્રિય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી અનુપ્રિયા પટેલ પર વારાણસીમાં દાખલ કરવામાં આવેલા કેસને પરત લેવા માટે પ્રદેશ સરકારે વારાણસીમાં જિલ્લા વહીવટીતંત્ર પાસેથી રિપોર્ટની માંગ કરી છે.

અનુપ્રિયા પટેલ સહિત ૧૭ લોકોની સામે જિલ્લાના જનસા પોલીસ સ્ટેશનમાં કેટલીક જુદી જુદી કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. અનુપ્રિયા હાલમાં મિરજાપુર જિલ્લામાંથી સાંસદ તરીકે છે અને કેન્દ્ર સરકારમાં રાજ્ય મંત્રી તરીકે છે. અનુપ્રિયા અને તેમના સમર્થકો પર દાખલ કરવામાં આવેલો આ કેસ ૨૦૧૩નો છે. અનુપ્રિયા પટેેલે પોતાના સમર્થકોન સાથે ત્રીજી ડિસેમ્બર ૨૦૧૩ના દિવસે ખેવલી ગામમાં ચકમાર્ગના મુદ્દે વિરોધ પ્રદર્શનમાં ઉતર્યા હતા. આ ગાળા દરમિયાન પોલીસ સાથે ઝપાઝપી થઈ હતી. આને લઈને ૧૭ લોકો સામે કેસ દાખલ કરવામાં આવ્યા હતા. ભાજપ ગઠબંધનમાં સામેલ રહેલા અપનાદલની લીડર અનુપ્રિયા પટેલે ઉત્તરપ્રદેશમાં ભાજપની સરકાર આવ્યા બાદ તરત જ રાજકીય કેસને પરત લેવા માટે હિલચાલ શરૂ કરી હતી. હવે વહીવટીતંત્રએ આના માટે વારાણસીના જિલ્લા વહીવટીતંત્રને પત્ર મોકલીને રિપોર્ટની માંગ કરી છે. એસએસપીના રિપોર્ટ અને જુદા જુદા સંબંધિત વિભાગોના અભિપ્રાય મળી ગયા બાદ કેસ પરત લેવાના સંદર્ભમાં કોઈ નિર્ણય કરવામાં આવી શકે છે. અનુપ્રિયા પટેલ અને ભાજપ વચ્ચેના સંબંધો હાલમાં સારા ચાલી રહ્યા નથી. આવી સ્થિતિમાં યોગી સરકાર આગામી દિવસોમાં કઈ રીતે આગળ વધે છે તે બાબત ખૂબ મહત્વપૂર્ણ રહેશે. યોગી સરકાર અનુપ્રિયા પટેલના સંદર્ભમાં હળવુ વલણ અપનાવવા માટે ઈચ્છુક છે.

Previous articleદુષ્કર્મ મામલે પોલીસે કરી રોનાલ્ડોનાં ડીએનએ સેમ્પલની માંગ
Next articleદિલ્હીમાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધનની શક્યતા નથી : શિલા