મહેનતાણામાં પ્રવર્તતા પક્ષપાત સામે મને વાંધો છે : દીપિકા

821

મોખરાની અભિનેત્રી દીપિકા પાદુકોણે કહ્યું હતું કે તાજેતરમાં મેં કેટલીક ફિલ્મો માત્ર મહેનતાણાના મુદ્દે જતી કરી હતી. મહેનતાણાની બાબતમાં પ્રવર્તતા પક્ષપાત સામે મને વાંધો છે. ’કોઇ પણ ફિલ્મ હિટ નીવડે એમાં ફિલ્મના તમામ કલાકારોનો યથાશક્તિ ફાળેા હોય છે. માત્ર કોઇ એક વ્યક્તિથી ફિલ્મ હિટ થતી નથી.તો પછી હીરોને મોં માગ્યું અને હીરોઇનોને ઓછું મહેનતાણું કેમ ચૂકવાય છે ? આવા પક્ષપાત સામે મને વાંધો છે. હીરો જેટલુંજ વળતર મને આપે એવી ફિલ્મો કરવા હું તૈયાર છું’ એમ દીપિકાએ કહ્યું હતું. બોલિવૂડ ઉપરાંત  હોલિવૂડની ટ્રીપલ એક્સ જેવી ફિલ્મ સફળતાથી કરી ચૂકેલી દીપિકાએ કહ્યું કે માત્ર સુપર સ્ટાર પર ફિલ્મો ચાલતી રહે એવો સમય હવે રહ્યો નથી એટલે મહેનતાણાનો તફાવત પણ હવે દૂર થવો જોઇએ. હું મારું મૂલ્ય જાણું છું. જે ફિલ્મ સર્જકને મારી જરૃર હશે એણે મારી ફી ચૂકવવાની તૈયારી રાખવી પડશે.

Previous articleખુબસુરત જેનિફર લોરેન્સ  ડાર્ક ફોનિક્સમાં હવે રહેશે
Next articleવરૂણ-આલિયાની ’કલંક’નું શૂટિંગ પૂર્ણ, ફર્સ્ટ લુક શેર કર્યો