શહેરમાં વિર માંધાતાની નિકળેલી શોભાયાત્રા

1674

વિર માંધાતા કોળી સમાજ સંગઠન ભાવનગર દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ વિર માંધાતાની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી ફુલસર ખાતેથી સંગઠનના અધ્યક્ષ રાજુભાઈ સોલંકીની ઉપસ્થિતીમાં નિકળેલી શોભાયાત્રા શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી જેમાં મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો જોડાયા હતા. આ શોભાયાત્રાનું શહેરમાં વિવિધ સ્થળોએ સ્વાગત કરાયું હતું જ્યારે અનેક સ્થળોએ ચા પાણીના સ્ટોલ પણ ઉભા કરાયા હતા. સાંસદ ભારતીબેન શિયાળ, નગરસેવિકા ગીતાબેન બારૈયા સહિત રાજકીય આગેવાનો દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરાયુ હતું.

Previous articleયશવંતરાયમાં યોજાયો ટેલેન્ટ શો
Next articleકાળીયાબીડમાં યુવાનની હત્યા કરનાર પોલીસના રડારમાં