સાહોની રીલીઝ પછી બાહુબલી પરણી જશે..!!

801

બોલિવૂડના બાહુબલી એવા સાઉથના સુપરસ્ટાર પ્રભાસના લગ્નની ફરી ચર્ચા ચાલી છે. પ્રભાસના મામા ક્રિષ્ણન રાજુએ તેમના ૭૯મા બર્થ ડે પર પ્રેસ સાથેની મુલાકાતમાં જણાવ્યું કે પ્રભાસના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ છે. તે સાહોની રીલીઝ પછી પરણી જવાનો છે. સાહો ૧૫ ઓગસ્ટે રીલીઝ થવાની છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા બાહુબલીની રીલીઝ વખતે પણ તેમણે કહ્યું હતું કે પ્રભાસ બાહુબલી પછી પરણી જશે. જો કે પ્રભાસ ૪૦ વર્ષનો થઈ ગયો હોવાથી હવે તેના પરિવારજનો તેને પરણાવવા આતુર છે. પ્રભાસને નજીકથી ઓળખનારા કેટલાક લોકોનો દાવો છે કે તેના અરેન્જ મેરેજ હશે તો કેટલાકનું કહેવું છે કે તે રિલેશનશીપમાં છે જે તેણે સિક્રેટ રાખી છે. થોડા સમય પહેલાં ચર્ચા હતી કે પ્રભાસ ચિરંજીવીની ભત્રીજી નિહારકા સાથે લગ્ન કરી લેવાનો છે. ૨૪ વર્ષીય નિહારિકા એક એક્ટર અને પ્રોડ્યૂસર છે. તે એક્ટર-પ્રોડ્યૂસર નાગેન્દ્ર બાબુની પુત્રી અને તેલુગુ સુપરસ્ટાર ચિરંજીવીની ભત્રીજી છે. નિહારિકાએ પોતાની કેરિયરની શરૂઆત વર્ષ ૨૦૧૬માં કરી હતી. નિહારિકા તેલુગુ ડાન્સ રિયાલિટી શોના હોસ્ટની જવાબદારી પણ નિભાવી ચૂકી છે.

Previous articleશકીલા પર ફિલ્મને લઇને હાલમાં સસ્પેન્સ અકબંધ
Next articleદુષ્કર્મ કેસમાં ગાયક ક્રીસ બ્રાઉનની ધરપકડ થઇ