પ.પૂ. સંત બજરંગદાસ બાપાની ૪૨મી પૂણ્યતિથી તા.૨૪ને ગુરૂવારે ઉજવાશે ત્યારે ગુરૂઆશ્રમ બગદાણા ખાતે વહેલી સવારથી વિવિધ ધાર્મિક કાર્યક્રમો ઉજવવામાં આવશે જેમાં લાખો ભાવિકો ઉપસ્થિત રહી દર્શનનો લાભ લેશે. બગદાણા આવવા માટે એસ.ટી.તંત્ર દ્વારા વધારાની બસો ફાળવવામાં આવી છે. ઉપરાંત પોલીસ દ્વારા પણ બંદોબસ્ત ગોઠવવામાં આવશે જ્યારે દર્શનાર્થે આવનાર ભાવિકો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલ જેમાં હજારો સ્વયંસેવકો સેવા આપી રહ્યા છે.