કાળીયાબીડના યુવાનના હત્યારાઓને ઝડપી લેવાની વલ્લભીપુરમાં થયેલી માંગ

1570

તળાજા તાલુકાના કેરાળા ગામના વતની અને હાલ શહેરના કાળીયાબીડ વિસ્તારમાં રહેતા રાજપૂત યુવા સુજાનસિંહ લવજીભાઈ પરમાર ઉ.વ.રપની ભગવતી સર્કલ નજીક મઢુલી પાસે તા.૧૯ના રોજ હત્યા કરવામાં આવેલ.

ભાવનગર શહેર-જિલ્લામાં ધાક જમાવવા માટે નવ શખ્સો દ્વારા ભેગા મળી તલવાર, પાઈપ, છરા વડે હુમલો કરી રાજપૂત સમાજના આશાસ્પદ યુવાનને રહેંસી નાખવામાં આવ્યો હતો જેની ફરિયાદ નોંધાવાયા બાદ ૧પ દિવસ સુધી હજુ હત્યારાઓની અટકાયત કરવામાં આવી નથી ત્યારે વલ્લભીપુર ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી હત્યારાઓને ઝડપી કડક સજા કરવાની માંગણી કરી હતી.

Previous articleવલ્લભીપુરની ગંભીરસિંહ હાઈ. પાછળનું મેદાન સુવિધાયુક્ત બનાવવા માંગણી
Next articleનીચા કોટડા કેસમાં ૯ર લોકો સામેની ફરિયાદ પાછી ખેંચવાની માંગ સાથે કલેક્ટરને આવેદન