ન્યૂઝિલેંડ વિરૂદ્ધ સીરીઝમાં ૨-૧ની જીતથી ટીમનું મનોબળ વધ્યુંઃ મિતાલી

606

ભારતીય મહિલા વનડે ટીમની કેપ્ટન મિતાલી રાજનું માનવું છે કે ન્યૂઝિલેંડ વિરૂદ્ધ સીરીઝમાં ૨-૧ની જીતથી ટીમનું મનોબળ વધ્યું છે અને ટીમનો ટાર્ગેટ હવે આઇસીસી ટેબલમાં ટોચના ચારમાં રહીને ૨૦૧૧ વર્લ્ડકપના ક્વાલીફાયરમાં રમવાનું ટળી(સ્કીપ) શકે છે. ન્યૂઝીલેંડ વિરૂદ્ધ તાજેતરમાં જ તેની જ જમીન પર સીરીઝ ૨-૧ થી જીત્યા બાદ ભારત પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાન પર છે. ભારતને આ મહિને ઇગ્લેંડની મેજબાની કરવાની છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદની વિજ્ઞપ્તિમાં મિતાલીએ કહ્યું ’’ગત વખતે અમે ક્વાલિફાયર રમ્યા હતા પરંતુ આ વખતે અમે ૨૦૨૧ ટૂર્નામેંટમાં સીધા ક્વાલિફાઇ કરવા માંગીએ છીએ. ઇગ્લેંડ અને વેસ્ટઇન્ડીઝ વિરૂદ્ધ સીરીઝ થવાની છે અને અમે વધુમાં વધુ પોઇન્ટ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીશું.’’

તેમણે કહ્યું ’’અમારી પાસે ઘણા એવા ખેલાડી ન હતા જેમને આ સ્થિતિમાં રમવાનો અનુભવ હતો. ફક્ત ઝૂલન (ગૌસ્વામી) અને મેં અહીં પ્રથમ પ્રવાસ કર્યો હતો. એટલા માટે બે મેચ જીતવાથી અમારો આત્મવિશ્વાસ ખૂબ વધી ગયો છે.’’

મિતાલીએ કહ્યું ’’ત્રીજી મેચમાં હારતાં અમે રેકિંગમાં ત્રીજા સ્થાન પરથી સરકી ગયા પરંતુ મને ખુશી છે કે ભારત ટોપ ૪ માં છે. બીજી તરફ ન્યૂઝીલેંડના કેપ્ટન એમી સેટરથવેટે કહ્યું કે તેમની ટીમ ભારત વિરૂદ્ધ હારમાં શિખામણ લીધી છે.

Previous articleરોહિત શેટ્ટી પિક્ચરઝ માટે ઍક્શન કૉમેડી ફિલ્મનું નિર્દેશન કરવા માટે સાઈન કરી!
Next articleવિદર્ભે બીજી વાર ખિતાબ જીતીને રચ્યો ઇતિહાસ : સરવટેએ લીધી ૧૧ વિકેટ