ધંધુકામાં માતાની અર્થીને દિકરીઓએ કાંધ આપીને અગ્નિ સંસ્કાર પણ કર્યા

1045

ધંધુકાના અંબધાપુર વીસ્તારમાં રહેતા દશરથભાઈ ડાભી (સતવારા) (ઉ.વ.પ૦)ના પત્નિ હંસાબેન ડાભી (ઉ.વ.૪૭) વર્ષનું એટેક આવવાથી અવસાન થતાં પરિવારમાં મરનાર માતાએ બે દિકરીઓને જન્મ આપેલ કુટુંબમાં દિકરો નહોતો ત્યારે બંને દિકરીઓએ માતાને કાંધ પણ આપી ત્યાર બાદ અગ્નિ સંસ્કાર પણ તેમના હસ્તે જ કર્યો.

ધંધુકાના સતવારા સમાજ અને તાલુકા મધ્યે પહેલો જ બનાવ નોંધાવા પામ્યો છે. જેમાં માતાનું અકાલે અવસાન થતા તેમની પુત્રી ભાગવીસાબેન તથા નિરાલીબેન (બંને)એ માતાની અંતિમ વિધિ માટે સ્મશાને લઈ જવામાં નાનામીને બન્ને બેનોએ કાંધ આપી બાદ અંતિમ અગ્નિ સંસ્કાર પણ બે બેનો દ્વારા કરી સમાજમાં અને તાલુકામાં અનોખું ઉદાહરણ પુરૂ પાડયાનો બનાવ સામે આવ્યો છે. ત્યારે જે કુટુંબમાં પુત્રની ખોટ સાલતી હતી તે સમાજની દિકરીઓએ પુરૂષ સમોવડી બની સમાજ તથા તાલુકામાં નવી પ્રેરણા પુરી પાડેલ છે.

Previous articleભાવનગર જિલ્લા ઈકો કલબ ઈન્ચાર્જ શિક્ષકોની એક દિવસીય કાર્યશાળા યોજાઈ
Next articleનિયમીતતા બદલ સન્માન કરાયું