ધોલપુરમાં પથ્થરમારો અને ફાયરિંગ, વાહનોમાં આગચંપી

621

ગુર્જર સમાજે અનામત માટે આદરેલા આંદોલનમાં આજે હિંસા થઈ હતી. ધોલપુર હાઈવે પર પોલીસો અને દેખાવકારો વચ્ચે અથડામણ થયા બાદ હિંસા ફાટી નીકળી હતી. દેખાવકારોએ રસ્તો રોકી દીધો હતો અને વાહનોને આગ ચાંપી હતી. ગુર્જર સમુદાયનાં લોકોએ અનામતની માગણીના ટેકામાં આજે સતત ત્રીજા દિવસે પણ એમનું આંદોલન ચાલુ રાખ્યું હતું અને સવાઈ માધોપુર જિલ્લામાં તેઓ રેલવેના પાટા પર બેસી ગયા હતા અને ટ્રેનવ્યવહાર અટકાવી દીધો હતો. એને કારણે રેલવે સત્તાવાળાઓને ત્રણ ટ્રેન રદ કરવાની અને એક ટ્રેનનો માર્ગ વાળવાની ફરજ પડી હતી. ગુર્જર આરક્ષણ સંઘર્ષ સમિતિના વડા કિરોડીસિંહ બૈંસલા અને એમના સમર્થકો ગયા શુક્રવારની સાંજથી રેલ-રોકો અને રસ્તા-રોકો આંદોલને ઉતર્યા છે. છેલ્લા બે દિવસમાં પશ્ચિમ મધ્ય રેલવેને આશરે ૨૦૦ જેટલી ટ્રેનોને કાંતો રદ કરવી પડી છે, ડાઈવર્ટ કરવી પડી છે.  અથવા એમની સફર અધવચ્ચેના સ્ટેશને જ સમાપ્ત કરી દેવાની ફરજ પડી છે. અટવાઈ ગયેલા લોકોનાં ધસારાને ક્લીયર કરવા માટે પશ્ચિમ રેલવેએ અમુક સ્પેશિયલ ટ્રેનો દોડાવી હતી તથા પ્રવાસીઓને વૈકલ્પિક રૂટ આપવા પડ્યા છે. ઉલ્લેખનીય છે કે ૨૦૧૮ની ૨૬ ઓક્ટોબરે રાજસ્થાન સરકારે એક ખરડો પાસ કર્યો હતો જેમાં અધર બેકવર્ડ ક્લાસીસ (ઓબીસી) ક્વોટાને ૨૧ ટકાથી વધારીને ૨૬ ટકા કર્યો હતો. ૨૦૧૮ના ડિસેંબરમાં રાજ્ય સરકારે ગુર્જર સમાજ માટે તેમજ ચાર ઓબીસી વર્ગો માટે એક ટકા અનામતને મંજૂરી આપી હતી. હાલ આ સમાજો ઓબીસી અનામત વ્યવસ્થાની ઉપરાંત મોસ્ટ-બેકવર્ડ કેટેગરી માટે ૫૦ ટકા અનામતની કાયદેસર મર્યાદા હેઠળ એક ટકા અલગ રીતે અનામતનો લાભ મેળવે છે.

Previous articleNTRની પીઠમાં નાયડુએ ખંજર ભોક્યું : મોદી
Next articleસેનાના ઓપરેશનમાં ૫ આતંકી ઠાર