મુંબઈ રૂખી સમાજનાં આગેવાન ભુપત દાઠીયાની શુભેચ્છા મુલાકાતે

657

ભાવનગરના તાજેતરમાં મુંબઈ અખિલ ભારતિય રૂખી વાલ્મીકી સંગઠનના સંસ્થાપક ઈશ્વરભાઈ વાઘેલા, સૌરાષ્ટ્ર રૂખી સેવા સમાજ સુખલાજી સ્ટ્રીટ વિભાગ-૧નાં પ્રમુખ હેમતભાઈ બેરડીયા, મહારાષ્ટ્ર સૌરાષ્ટ્ર મુંબઈના અગ્રણી સલાહકાર મગનભાઈ સાંગઠીયા, વાલ્મીકી સેવા મહિલા સંગઠનના અધ્યક્ષ શાંતાબેન ચૌહાણ, અખિલ ભારતિય સફાઈ મજધુર કોંગ્રેસ મુંબઈ અધ્યક્ષ ભરતભાઈ સોલંકી વિગેરે ભાવનગર આવતા વાલ્મીકી સમાજના પીઢ આગેવાન અને ભાવનગર મહાનગર પાલિકાના પૂર્વનગર સેવક ભૂપતભાઈ દાઠીયાની શુભેચ્છા મુલાકાત લઈને ગુજરાત વાલ્મીકી સમાજના સામાજિક, શૈક્ષણિક, આર્થિક અને રાજકીય બાબતોની જાણકારી મેળવવા વિગતે ચર્ચા વિચારણાઓ કરી હતી. સમાજના ઉત્થાન માટેની રાજ્ય સરકારની યોજનાકિય બાબતોનો પણ ઉલ્લેખ થવા પામેલ.

સમાજ અગ્રણી ભૂપત દાઠીયાએ મહારાષ્ટ્ર મુંબઈ રૂખી સમાજના આગેેવાનોને શુભેચ્છા મુલાકાત માટે આવકારી અભિનંદન આપી ગુજરાત સરકારની વાલ્મીકી સમાજના ઉત્થાન માટેની આર્શિવાદ રૂપ યોજનાઓનો ખ્યાલ આપી સમાજના વિવિધ સમસ્યારૂપ પ્રશ્નો અને કેટલાક રાજ્ય સરકારને સ્પર્શતા સવાલોની ચર્ચા કરી સમજણ અપાઈ હતી. આ પ્રસંગે મુંબઈના વિવિધ વિસ્તારોમાં રહેતા આગેવાનો જયંતિભાઈ વાઘેલા, ડાયાભાઈ, રાઠોડ, લક્ષ્મણભાઈ ડુંગરશી, લલિતભાઈ સોલંકી, રાજેશભાઈ ચૌહાણ, વાલજીભાઈ ટીમાણીયા, છગનભાઈ જેઠવા, રવિભાઈ પરમાર, કુન્દનભાઈ ડુગરશી, સંદિપભાઈ પરમારે સમાજ ઉત્કર્ષ માટે અરસ પરસ વિચાર વિમર્શ કરી કેટલીક બાબતોની જાણકારી મેળવી હતી.

Previous articleજાફરાબાદના બાબરકોટ ગામે પેવીંગ બ્લોક રોડનું ખાતમુર્હુત
Next articleનગર પ્રા.શિક્ષણ કમિ.બેઠકમાં વિપક્ષે સહી કરી રામધૂન લઈ ગેરહાજરી બનાવી : ચર્ચાનો મુદ્દો