સાઉદી અરબના પ્રિન્સે પાક. પ્રવાસમાં કર્યો ફેરફાર

534

નવી દિલ્હી : પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ સાઉદી અરબના પ્રિન્સ મહોમ્મદ બિન સલમાને પાકિસ્તાનનો પ્રવાસ એક દિવસ માટે ટાળી દીધો છે. પહેલા પ્રિન્સ સલમાન ૧૬ ફેબ્રુઆરીએ પાકિસ્તાન જવાના હતા હવે તેમની બે દિવસની યાત્રા ૧૭ ફેબ્રુઆરીથી થશે. તેઓ બે દિવસ માટે પાકિસ્તાનમાં રોકાવાના છે. જોકે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી નથી કે પ્રિન્સે એક દિવસ કેમ પ્રવાસ ટાળી દીધો છે.

Previous articleકપિલ શર્મા શોમાંથી સિદ્ધુની હકાલપટ્ટી
Next articleદરેક આંસુના હિસાબ તો લેવાશે જ : મોદીની લોકોને ફરી ખાતરી