ભાવનગર મહાપાલિકા દ્વારા આજે સાંજના સમયે મહાપાલિકા કચેરીથી શહિદ સ્મારક સુધીની કેન્ડલ માર્ચ કાઢવામાં આવી હતી. અને શહીદ સ્મારકે શહિદોને દિપ સાથે પુષ્પાંજલિ અપર્ણ કરી હતી આ કાર્યક્રમમાં મંત્રી વીભાવરીબેન દવે, મેયર મનભા મોરી, કમિશ્નર એમ.કે.ગાંધી, શહેર ભાજપ પ્રમુખ સનત મોદી, મહાપાલિકાના પદાધિકારીઓ, નગરસેવકો, અધિકારીઓ તથા તમામ કર્મચારીઓ જોડાયા હતા અને શહિદોને શ્રધ્ધાંજલિ પાઠવી હતી.