ભાવનગર મુસ્લીમ સમાજે કોમી એકતા અને પાકિસ્તાન મુર્દાબાદનાં નારા લગાવ્યા

2953

જમ્મુ કાશ્મીરના પુલવામાં સીઆર.પી.એફ.નાં કાફલા ુપર આંતકવાદીઓ દ્વારા કરાયેલા ત્રાસવાદી હુમલામાં દેશના ૪૪ જવાનો શહિદ થયા છે. જ્યારે ૪૫ જવાનોને ગંભીર ઈજાઓ પહોચી છે, આ બનાવને જમીયતે ઉલ્મા-એ-હિન્દ ભાવનગરના શાખા તથા સમસ્ત મુસ્લીમ સમાજ ભાવનગરના આગેવાનોએ સખ્ત શબ્દોમાં વખોડી કાઢી શહિદ થયેલ જવાનોના પરિવારજનો પ્રત્યે સહાનુભૂતિની લાગણી વ્યક્ત કરી તેમજ ઘવાયેલ જવાનો જલ્દીથી સાજા થઈ જાય તેવી દુવા કરવામાં આવી હતી.  આજરોજ શનિવારે બપોરે ૩-૦૦ કલાકે શહેરના જોગીવાડની ટાંકી ચોકમાંથી એક વિશાળ રેલી, નિકલી હતી. આ રેલી સાંઢીયાવાડ, રૂવાપરી રોડ, દિવાનપરા રોડ, થઈને હલુરીયા ચોક, શહિદ સ્મારક પાસે સભાના રૂપમાં ફેરવાઈ ગઈ હતી.

આ સભાને સંબોધતા દારૂલ ઉલુમ અકવાડાના હઝરત મૌલાના હનીફ સાહબ, દારૂલ ઉલુમ નુરેમહંમદી બાપુની વાડીના ચિસ્તી સાહેબ, અરેબીક કોલેજ આંબાચોકના મુફતી સાહેબ, મૌલાના જમીન સાહેબ, મોલાના મુજીબ ઉસ્તાદ, કરીમભાઈ ઈન્ડિયા, અલીયારખાન પઠાણ, ઈકબાલભાઈ આરબ, કાળુભાઈ બેલીમ, આરીફભાઈ કાલ્વા, યુનુસભાઈ સુપ્રિમ, સ્લીમભાઈ રાંધનપુરી, નાહિન કાઝી, મુસ્તુફાભાઈ ખોખર, સલીમભાઈ શેખ, રફીકભાઈ ખુશ્બુ, જાહિદ ભરૂચા, રજાકમીયા કાદરી સહિતના મુસ્લીમ સમાજના આગેવાનો કાર્યકરો આ રેલીમાં મોટી સંખ્યામાં રઉફભાઈ કલાસીક જોડાય  હતા.

આ રેલીમાં દેશના શહિદો અમર રહો અને પાકિસ્તાન મુર્દાબાદના નારાઓ લગાવવામાં આવ્યા હતા. હલુરીયા ચોકમાં યોજાયેલી આ સભામાં સંબોધતા મુસ્લીમ સમાજના આલીમો અને મૌલાના સાહેબોએ જણાવ્યું હતું કે દેશની એકતા અને અખંડતાને ટકાવી રાખવા અને દેશ ઉપર આવી પડેલી આફત વેળાએ સમગ્ર મુસ્લીમ સમાજ દેશ સાથે રહેવા અને દેશમાં શાંતિ જાળવી રાખવા અપીલ કરી હતી. આ રેલી દરમ્યાન હિન્દુ, મુસ્લીમ ભાઈચારાઓના પણ નારા લગાવવામાં આવ્યા હતા.

Previous articleબારશાખ રાજપુત સમાજ દ્વારા શહિદોને શ્રધ્ધાંજલી
Next articleપહેલીવાર બ્રાન્ડ એમ્બેસેડર બની અભિનેત્રી સારા અલી ખાન