NSUI દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી શહિદો માટે ફંડ એકત્ર કરાયું

632

આજરોજ ભાવનગર જિલ્લા એનએસયુઆઈ દ્વારા શહેરની બીપીટીઆઈ કોલેજમાં પુલવામાં આતંકી હુમલામાં દેશના વિર શહિદ્ય જવાનોને બે મિનિટ મૌન પાળી તેમજ કેન્ડલ માર્ચ કરીને સંપુર્ણ શ્રધ્ધાંજલિ આપવાનો કાયક્રમ કરવામાં આવ્યો હતો. તેમજ એનએસયુઆઈ દ્વારા શહિદોના પરિવારોને આર્થીક મદદ મળી રહે તે અનુસંઘાને વિદ્યાર્થીઓ પાસેથી ફંડ એકત્ર કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ જયરાજસિંહ ગોહિલ, ઉપપ્રમુખ ગિરિરાજસિંહ વાળા બીપીટીઆઈ કોલેજ પ્રમુખ યમન મકવાણા, હેત પંચાલ, દિવ્યરાજસિંહ જાડેજા, યશ ભટ્ટ, હરિકૃષ્ણ પટેલ તેમજ કોલેજના તમામ વિદ્યાર્થીઓ જોડાયેલા હતાં અને શહિદોને  ભાવપુર્વક શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી.

Previous articleતમાકું મુક્ત શાળા કાર્યક્રમ
Next articleમોટી પાણીયાળી કે.વ.શાળાના શિક્ષકોનું સન્માન