રાજુલાના કુંભનાથ મંદિરે સીસીરોડનું ખાતુમુર્હુત કરાયું

598

આજરોજ નગરપાલિકાની કોંગ્રેસ ભાજપની માત્ર શહેરના વિકાસ લક્ષી ટીમ દ્વારા એક સાથે બે બે જગ્યાએ સીસી રોડના ખાતુમુહુર્ત  કરાયા જેમાં તત્વજયોતી પાસે અને બીજો પાંડવો વખતના બિરાજમાન અને વિશ્વ પ્રસિદ્ધ કુંભનાથ મહાદેવ મંદિરોના સીસી રોડના ખાતમુહુર્ત કરાતા શહેરીજનો દ્વારા અભિનંદનની વૃષા થઈ રહી છે જે રાજુલાના પીઢ આગેવાન બાબુભાઈ જાલોધરા, નગરપાલિકા પ્રમુખ સ્થાનેથીબ ાલાભાઈ વાણીયા ઉપપ્રમુખ છત્રજીતભાઈ ધાખડા કુંભનાથ મંદિરના મહંત જેન્તગીરી શહેરના વરિષ્ઠ આગેવાનો ચેરમેન રાહુલભાઈ ધાખડા તાલુકા પંચાયત માજી પ્રમુખ હનુભાઈ ધાખડા, પ્રદિપભાઈ ભાજપ શહેર પ્રમુખ મયુરભાઈ કુભનાથ મંદિરના મહંત પરિવાર રજનીભાઈ, હર્ષદભાઈ, પિયુષદાદ, જાવેદભાઈ, ઈમ્તિહાજભાઈ, રાંધવભાઈ, રાજુ દાદા, જાવેદભાઈ, ઈમતિયાજ, સોહિલભાઈ, દિપભાઈ, મયુરદાદા, સુલભાઈ, આહિર સમાજના પ્રમુખ મંગલભાઈ, મંત્રી ધીરૂભાઈ, બાબભાઈ વાણિયા, રાજુભાઈ તેમજ રાજુલા શહેરના આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહેલ હતાં. આ વિસ્તારના લોકોની માંગણી મુજબનું કામ શરૂ થતા લોકોએ પુર્ણ સંતોષ વ્યક્ત કરી હર્ષની લાગણી વ્યકત કરેલહ તી. આ પ્રસંગે બાબુભાઈ જલધંરએ જણાવેલ હતું કે રાજુલા શહેરના દરેક લોકોને રસ્તા પાણી લાઈટ આરોગ્ય વગેરે તમામ સુવિધાઓ પ્રદાન કરવા માટે નગરસેવકોને જણાવેલ હતું.

Previous articleઉગામેડી  નિંગાળા રોડ પર સજાર્યો ગંભીર અકસ્માત
Next articleઅવિશ્વાસની દરખાસ્ત કરનાર સભ્યો મીટીંગમાં ગેરહાજર રહ્યા!