વિહિપે ઘોઘાગેટ ચોકમાં વિજય ઉત્સવ મનાવ્યો

571

પુલવામા ખાતે ૧૫ ફેબ્રુઆરીએ આતંકવાદી હુમલામાં ભારતીય સેનાનાં ૪૦ જવાનો શહિદ થયા બાદ આજે તા.૨૬નાં રોજ વહેલી સવારે ભારતીય એરફોર્સ દ્વારા એક સાથે ડઝન વિમાનો સાથે પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓનાં અલગ અલગ ત્રણ કેમ્પો ઉપર હુમલો કરી કેમ્પ સાથે ૩૦૦ જેટલા આતંકીઓનો ખાત્મો બોલાવી બદલો લેતા સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છવાયો છે. ત્યારે ભાવનગર શહેરનાં ઘોઘાગેટ ચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઢોલનગારા સાથે ફટાકડા ફોડીને વિજય ઉત્સવ મનાવ્યો હતો આ પ્રસંગે જવાનોનાં વિશાળ કટ આઉટ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા લોકોએ જવાનોનાં કટ આઉટ સાથે સેલ્ફી પણ લીધી હતી.

Previous articleએલર્ટનાં પગલે વાહન ચેકીંગ કરાયું
Next articleજાફરાબાદનાં રોહીશા ગામે કોળી સમાજનાં સમુહલગ્ન