ભાજપ દ્વારા શહેરમાં કમલ દીપ પ્રગટાવાયા

661

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશ વિકાસની હરણફાળ ભરી રહ્યો છે અનેક યોજનાઓ થકી નાના, ગરીબ અને છેવાડાના માનવીઓના જીવન ના અંધકાર દૂર કરી ઉજાસ ફેલાવી તેમના જીવનના સપનાઓને પુરા કરવામાં આવ્યા છે પ્રધાનમંત્રી આવાસ યોજના નીચે ઘરનું ઘર હોય કે પ્રધાનમંત્રી આયુષ્ય યોજના નીચે સારવારની ચિંતા હોય, દેશવાસીના ઘરે શોચાલાય હોય કે સ્વચ્છતા અભિયાન, સ્વરોજગારીની લૉન હોય કે જનધન યોજના હોય તમામ યોજનાઓમાં ગરીબોના હક્કની અને હિત ની ચિંતા સદાય ભાજપા સરકારે કરી છે એવા સમયે સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓની સાથે કમલ દીપ પ્રાગટ્ય કરી કમલજ્યોત કાર્યક્રમ શહેરના ત્રણ સ્થાનો પર ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ઉજવવામાં આવ્યો હતો જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ   માંડવીયા, પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી, શહેર અધ્યક્ષ સનતભાઈ મોદી, સંસાદ ભારતીબેન શિયાળ, મેયર માનભા મોરી સહિતના મહાનુભાવો જોડાયા હતા અને કમલ દીપ પ્રજવલિત કર્યો હતો.

Previous articleએમ્બ્યુલન્સનાં એસીમાં બ્લાસ્ટ
Next articleરાજ્યભરની સાથો સાથ ભાવનગરમાં વાતાવરણમાં પલ્ટો : વરસાદી માહોલ