ખરાબ નજરથી ભારતને જોનારાની આંખો કાઢી લેવામાં આવશેઃ કંગના

570

મંગળવારે સવારે ભારતે દેશભરની જનતાને મોટી ગીફ્ટ આપી છે. મંગળવારે વહેલી સવારે લગભગ ૩ઃ૩૦  વાગે ભારતે પુલવામા આતંકી હુમલાનો બદલો લીધો હતો. ભારતીય એરફોર્સે ૧૨ મિરાજ વિમાનો દ્વારા પાકિસ્તાનનાં બાલાકોટમાં એરસ્ટ્રાઈક કરી. આ હુમલા બાદ દેશભરમાં વાયુસેનાની સ્ટ્રાઈકને સલામ કરી રહ્યા છે સાથે જ સોશિયલ મીડિયા પર લોકો પોસ્ટ શેર કરીને ખુશી વ્યક્ત કરી રહ્યાં છે. બોલીવુડ અભિનેત્રી કંગના રનૌતે પણ આઈએએફને સલામ કર્યું છે. સાથે જ અભિનેત્રીએ પાકિસ્તાનને મોટી ચેતવણી પણ આપી છે. કંગનાએ મીડિયામાં થયેલી વાતચીત દરમિયાન કહ્યું કે, “અમે ભારતીય વાયુસેનાને સલામ કરીએ છીએ જેમણે સાચા હીરોની જેમ એરસ્ટ્રાઈક કરી. આતંકવાદની સામે આપણી લડાઈ ચાલુ થઈ ચૂકી છે. સંદેશ સ્પષ્ટ છે કે, જે પણ ખરાબ નજરથી ભારતને જોશે તેમની આંખો કાઢી લેવામાં આવશે. જય હિંદ.” તેના સાથે જ કંગના રનૌતે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલી કડક કાર્યવાહીને સારું પગલું ગણાવ્યું છે. કંગનાએ કહ્યું કે, “પીએમએ આ સંદેશ પણ મોકલ્યો કે જે પણ ભારતને ખોટા ઈરાદાથી જોવાની કોશિશ કરશે તેમને ભારતીય સશસ્ત્ર બળો દ્વારા મૂંહતોડ જવાબ આપવામાં આવશે.”  આ અગાઉ લતા મંગેશ્કર, સલમાન ખાન, કમલ હાસન, અનુપમ ખેર, અભિષેક બચ્ચન, સ્વરા ભાસ્કર, અજય દેવગન, સોનૂ સૂદ, અશોક પંડિત, કરણ કુંદ્રા, દિવ્યાંક ત્રિપાઠી, અક્ષય કુમાર જેવા સ્ટાર્સે પણ આ હુમલાની પ્રસંશા કરી છે.

Previous articleગુજરાતમાં એલર્ટને પગલે બોટાદ જિલ્લામાં ચેકીંગ
Next articleઅથિયા લાંબી ઇનિગ્સ રમવા માટે ઇચ્છુક