બરનીયા પ્રા.શાળાના બાળકોએ શહિદ પરિવાર માટે ફંડ એકત્ર કર્યુ

738

રાણપુર તાલુકા ના બરાનિયા પ્રાથમિક શાળા ના વિદ્યાર્થીઓ ઉપરોક્ત ભવ્ય ગાથા અને ઈતિહાસ નુ પુનરાવર્તન કરતાં હોય તેમ આજે ગામમાંથી એકત્રિત કરાયેલ ફાળા ને તાજેતરમાં પુલવામા મા થયેલા આતંકવાદી હુમલામા ના શહિદો ના પરિજનો માટે બોટાદ જિલ્લા સેવા સદન ખાતે કલેકટર શ્રી સુજિતકુમાર ને અર્પણ કર્યો હતો. રૂ ૨૬૧૧/- ની રાશિ સ્વિકારતા જિલ્લા કલેકટરએ શાળા ની બાળકીઓ ને સહ્રદય આવકારી બાળકોના પ્રેરક કાર્ય ને બિરદાવી શાળાના આચાર્ય ભુપતભાઈ સાંથલિયા તથા શિક્ષક લાલજીભાઈ ને અભિનંદન આપ્યા હતા તેમજ શાળાને જ્ઞાનકુંજ પ્રોજેકટ થી સુસજ્જ કરવાની ખાત્રી આપી હતી.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleરાણપુરના કુંડલી ગામે પ્રાથમિક શાળા અને હાઇ.માં તમાકુ મુક્ત શાળા કાર્યક્રમ યોજાયો