તળાજાની આરાધ્યા વિદ્યાસંકુલનો આજે પ્રથમ વાર્ષિક મહોત્સવ

623

એક કળીથી પુષ્પ સુધીની યાત્રાના શિર્ષક હેઠળ તળાજાની આરાધ્યા વિદ્યાસંકુલના સફળતા પુર્વકના એક વૃષ અંતર્ગત અસ્મિતા પર્વ પ્રથમ વાર્ષિક મહોત્સવ તા. ર૭નેબ ુધવારના રોજ રાત્રીના ૭-૦૦ કલાકે કલામંદિર ગ્રા.ન્ડ, રામપરા રોડ, તળાજા ખાતે રંગેચંગે ઉજવણી કરવામાં આવશે, આ કાર્યક્રમમાં લોકસાહિત્યકાર માયાભાઈ આહિર, ગુજરાતી કોમેડી ફીલ્મ કલાકાર જીગલી અને ખજુરની ટીમ, આંતરરાષ્ટ્રીય યોગ પ્લેયર જાનવી મહેતા, સાંસદ ડો. ભારતીબેન શિયાળ, ધારાસભ્ય કનુભાઈ બારૈયા સહિતના વિવિધ શૈક્ષણિક અને સામાજીક અને રાજકીય આગેવાનોની પ્રેરક ઉપસ્થિતી રહેશે.

આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થી સન્માન સમારોહ, સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ માર્ગદર્શન સેમિનાર સાથે ગુજરાતી કોમેડી કલાકારો જીગલી અને ખજુરીની ટીમ બાલ  વિદ્યાર્થીઓ સાથે મોજ, મસ્તી અને થનગણાનટ સાથે ધુમ મચાવશે. શાળાના આ કાર્યક્રમના સાક્ષી બનવા જાહેર જનતાને ઉપસ્થિત રહેવા શાળા સંચાલક વૈભવ જોષી દ્વારા જણાવેલ છે.

Previous articleમહાપાલિકાના દ્વારેથી
Next articleભાવ. ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા વિશ્વ ગ્રાહક અધિકાર સપ્તાહની ઉજવણી