અર્જુન-મલાઇકના લગ્ન મુદ્દે અરબાઝ ખાને મૌન તોડ્યુ

635

મલાઇકા અરોરા અને અર્જુન કપૂર ૧૯ એપ્રિલનાં રોજ લગ્ન કરવા જઇ રહ્યા છે. આ વિશે ભલે કપૂર ખાનદાન મૌન હોય, પરંતુ તાજેતરમાં આ પ્રશ્નનો જવાબ મલાઇકા અરોરાનાં ભૂતપૂર્વ પતિ અરબાઝ ખાને આપ્યો છે. સોશિયલ મીડિયા પર અરબાઝનો એક વિડીયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં અરબાઝ ખાનને મલાઇકા અરોરા અને અર્જુન કપૂરનાં લગ્નને લઇને પ્રશ્ન કરવામાં આવ્યો છે. આનો જવાબ આપતા અરબાઝ ખાને હસતા-હસતા કહ્યું કે, “પાજી, ઘણો જ ઇન્ટેલિજન્ટ પ્રશ્ન પુછ્યો છે તમે. ઘણી મહેનત કરી હશે તમે. આખી રાત તમે આના માટે બેઠા હશો. તમારા પ્રશ્નનો જવાબ આપવો છે મારે, પરંતુ તમે આટલો સમય લીધો છે વિચારવા માટે તો મને પણ થોડોક સમય આપો. કાલે જણાવીશ, ચાલશે?”

આ પહેલા મલાઇકા અરોરા અને અર્જુન કપૂરનાં લગ્નને લઇને બોની કપૂરે કહ્યું હતુ કે, “આ અફવા છે. આમાં કોઇ જ સત્યતા નથી.” મલાઇકા અરોરાએ પણ પોતાના લગ્નની વાતની ફગાવી દીધી છે. જો કે માલદીવમાં અત્યારે મલાઇકા વેકેશન મનાવી રહી છે જેની તસવીરો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે મલાઇકા લગ્ન પહેલા હૉલીડે પર છે. કેટલાક દિવસો પહેલા ‘કૉફી વિથ કરણ’ શૉમાં અર્જુન કપૂરે એ સ્પષ્ટ કર્યું હતુ કે લગ્ન માટે હવે તે તૈયાર છે.

જો કે પહેલા લગ્નને લઇને તે તૈયાર નહોતો. અર્જુનનાં આ જવાબ બાદ માનવામાં આવી રહ્યું છે કે તેણે મલાઇકા સાથે લગ્ન કરવાનો પ્લાન બનાવી લીધો છે. એ જોવુ રહેશે કે મલાઇકા-અર્જુનનાં લગ્ન માટે ફેન્સે ક્યા સુધી રાહ જોવી પડશે.

Previous articleદીપિકા પદુકોણ-રણબીર કપૂર લવરંજનની એક્શન ફિલ્મમાં સાથે ચમકે તેવી શક્યતા
Next articleકોરિયોગ્રાફર સરોજ ખાનને કામ ન મળતાં સલમાન ખાને મદદ કરી..!!