સિહોરના ગૌતમેશ્વર કુંડ પાછળ પાણીમાંથી યુવાનની લાશ મળી

1061

સિહોરના ગૌતમેશ્વર કુંડના પાછળના ભાગમાં વિશાલ રાજુભાઇ ગોરડીયા ઉવ ૩૮ નામના યુવાનની લાશ મળી હોવાનું જાણવા મળ્યું હતું  સ્ટેશનરોડ પર રહેતા વિશાલ ગોરડીયા  નામનો યુવક ગઈકાલે સાંજે ઘરેથી ગુમ હતા જેને લઈ પરિવારજનોએ શોધખોળ પણ કરી હતી પણ મળેલ નહિ વિશાલ પરણિત હોય ૧ સંતાન પણ છે પરંતુ કોઈ અગમ્ય કારણો સર મોત વ્હાલું કરેલ  ત્યારે વિશાલની લાશ ગૌતમેશ્વર કુંડના પાછળના ભાગમાં આવેલ પાણી માંથી મળી છે બનાવને લઈ પોલીસના બીટ જમાદાર ઇન્દુભા ડી સ્ટાફના ગૌતમ રામાનુજ સહિત કાફલો દોડી જઇ લાશને પાણી માંથી બહાર કાઢી કબ્જો લઈ પીએમ અર્થે લાશને ખસેડવામાં આવી હતી પરંતુ પરિવારજનોએ લાશનું પી.એમ કે કોઈ કાર્યવાહી કરવાનું ટાળ્યું હતું .ત્યારે બનાવ સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતાં.

Previous articleમોદીની વીડીયો કોન્ફરન્સમાં ભાવનગરના ચોકીદારો જોડાયા
Next articleવયમર્યાદાના કારણે નિવૃત્ત થતા સીહોર પો.સ્ટે.ના બે જમાદારનો વિદાય સમારોહ